Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 05
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
અધ્યાયઃ ૫ સૂત્રઃ ૨
અધ્યાયઃ૫-સૂત્ર:૨
[] [1]સૂત્રહેતુઃ- ધર્માદિક ચારેના દ્રવ્યપણા ને જણાવેલ નથી તેથી આ સૂત્ર થકી સૂત્રકાર મૂળભૂત દ્રવ્યોને જણાવે છે.
[] [2]સૂત્ર:મૂળ:-*દુવ્યાપિ નીવાશ્વ
[] [3]સૂત્ર:પૃથ:-ટુર્બાન નીવા: ૬
૧૧
] [4]સૂત્રસાર:-[ઉપર કહેવાએલ ધર્મ-અધર્મ-આકાશ-પુદ્ગલ એ ચાર તથા] જીવ (એ પાંચે) દ્રવ્યો છે.
[] [5]શબ્દજ્ઞાનઃદ્રષ્યાળિ- દ્રવ્યો-દ્રવ્ય સંજ્ઞા
[] [6]અનુવૃત્તિ
अजीवकाया धर्माधर्माकाश पुद्गलाः ५:१ धर्माधर्माकाशपुद्गलाः
[] [7]અભિનવટીકાઃ- ધર્મ-અધર્મ,આકાશ,પુદ્ગલ અનેજીવ એ પાંચે ને દ્રવ્ય કહ્યા છે. જેમાં ધર્માદિ ચાર નું કથન ઉપરોકત સૂત્ર માં કર્યુ છે અને જીવ વિષયક વર્ણન ૧ થી ૪ અધ્યાયમાં કરવામાં આવેલ છે.
આ રીતે દ્રવ્ય એ આ પાંચે અસ્તિકાયોની સામાન્ય સંજ્ઞાછે. અને ધર્મ-અધર્મ-આકાશપુદ્ગલ અને જીવ એ વિશેષ સંજ્ઞા છે.
* ટ્રવ્યાપિઃ- દ્રવ્ય શબ્દની વ્યાખ્યા સૂત્રકારે પોતે સૂત્ર ૫:૩૭ મુળપર્યાયવત્ દ્રવ્યમ્ માં કરીજ છે છતાં અહીં દ્રવ્ય શબ્દનો સામાન્ય પરિચય આપેલ છે.
- हारिभद्रीय टीका- द्रवन्ति इति द्रव्याणि न गुणादि मात्रं
અહીં દ્રવ્ય માં દ્રવ નો અર્થ પ્રાપ્ત થવું કરે છે. તેથી ત્રણ કાળને વિશે જે પોતાના ગુણપર્યાય ને પ્રાપ્ત થાય તેથી તે દ્રવ્ય કહેવાય છે.
દ્રવ્યમાં ઉત્પાદ,વ્યય અને ધ્રૌવ્ય પણું કહ્યુંછે [જુઓ સૂત્ર :૨૬] કેમ કે પૂર્વ પર્યાય નો નાશ તે વ્યય છે અને ઉત્તર પર્યાય ની પ્રાપ્તિ તે ઉત્પાદ છે અને દ્રવ્ય,દ્રવ્યપણે સ્થિર રહે છે તે ધ્રૌવ્ય છે.
વળી સૂત્ર [ધ: રૂ૭]મુજબ દ્રવ્યને ગુણ-પર્યાયરૂપ પણ કહ્યુ છે કેમ કે દ્રવ્યમાં સદા રહેતા જ્ઞાનાદિ કે સ્પર્શાદિ ધર્મો તે તેના ગુણ છે અને ઉત્પન્ન થતા તથા નાશ પામતા જ્ઞાનોપયોગ આદિ તથા શુકલ-કૃષ્ણ આદિ ધર્મ રૂપ પર્યાયો તે તેના પર્યાયો છે.
નીવાવ:
:-જીવ ને પણ દ્રવ્ય કહેલ છે. કેમ કે જીવ પણ ગુણ પર્યાય રૂપ છે. –જીવ શબ્દની વ્યાખ્યા પૂર્વે કહેવાઇ છે.
—જીવ શબ્દથી જીવ અર્થાત્ પ્રાણી મુખ્યત્વે લેવાય છે. છતાં શુધ્ધ આત્મા કે ચૈતન્ય રૂપ સિધ્ધના જીવો નો પણ દ્રવ્ય તરીકે તો જીવ દ્રવ્યમાં સમવેશ થઇ જ જાય છે.
—જીવ એટલે પ્રાણ ધારણ કરવો ‘‘તેનો ઇન્દ્રિયાદિક દ્રવ્ય અને જ્ઞાનાદિક ભાવપ્રાણરૂપ * દિગમ્બર આમ્નાયમાં દ્રવ્યળિ અને નીવાશ્વ એવા બંને અલગ અલગ સૂત્રો છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org