Book Title: Swadhyay 1996 Vol 33 Ank 03 04
Author(s): Rajendra I Nanavati
Publisher: Prachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંસ્કૃત વાક્યમાં મૂળ છે અને ભાવે કે ટીકાઓને સંબધ
શાસ્ત્રો કે દાર્શનિક મળે પરના ભાગ્ય ટીકા પ્રદેશમાં જ્યારે પ્રવેશ કરીએ છીએ ત્યારે ભારે સાવધાની રાખવી પડે છે. ટીકાકારની તટસ્થતા કેટલી છે અને તેની કોઈ ચક્કસ સંપ્રદાય પરત્વેની નિષ્ઠા કેટલી છે તેને તાગ કાઢવો પડે. કારણ કે પ્રાયઃ ભાષ્યકાર કે ટીકાકાર મૂળગ્રન્થનું અર્થધટન પોતાના સિદ્ધાન્ત કે સંપ્રદાયના સમર્થન માટે કરતા હોય એમ પણ દેખાઈ આવે છે. બાદરાયણ કૃત બ્રહ્મસૂત્રના વિવિધ ભાવ્યો અને એ ભાષ્યો પરની ટીકાઓ આ પરિસ્થિતિનું બોલતું ઉદાહરણ છે. ઉપનિવદેના દાર્શનિક વાને સમન્વય કરવા રચાએલાં આ બ્રહ્મસૂત્રોમાં ભાષ્યકારીએ એ તે અન્વય કરી દેખાડો કે સમન્વય સુત્રોમાં જ ગાંઠે પડી ગઈ! પરિણામે દંત, કેવલાદ્વૈત, વિશિષ્ટત, શુદ્ધાદ્વૈત અને અચિન્ય ભેદભેદ વગેરેને એક વાદમંચ સઇ ગયે ! અરે, શ્રીમદ્ ભગવદ્દગીતા જેવો અત્યંત લોકપ્રિય અને સરળ શબ્દાર્થવાળો ગ્રન્થ પણ આ વલણુથી મુક્ત ન રહી શક.૭
તકને લંબાવવાની આ પ્રક્રિયાનું પણ એક કારણ છે, વૈદિકદર્શનની સામે બૌદ્ધદર્શન અને કંઈક અંશે જેનદર્શનને એક પ્રબળ પ્રતિપક્ષ પણ ઉભો થયો હતો. તેમના આક્રમણને પ્રતિવાદ કરી સ્વમતની સુરક્ષા કરવાનું આ દર્શનના અભ્યાસી અને અનુરાગી વિદ્વાન આચાયોએ પિતાનું કર્તવ્ય માન્યું હતું. અને પ્રતિવાદ પર થતા નવા આક્ષેપોને પણું પરિહાર કરતા રહેવાની એક સશક્ત પરંપરા પણ ઊભી થઈ. આનું નોંધપાત્ર ઉદાહરણ ન્યાયસૂત્ર પર રચાએલી ચાર મિક ટીકાઓ છે. ન્યાયસૂત્રના વાસ્યાયન ભાષ્ય પર બૌદ્ધ ગ્રન્થમાં ધાં સ્થળોએ ખંડનાત્મક આક્ષેપો થયા. તેમને પરિહાર કરવા ઉદ્યોનકરે એ ભાષ્ય ઉપર વાર્તિક રચ્યું. ઉદ્યોતકરને પણ બૌદ્ધ દાર્શનિકોને પ્રહાર સહેવો પડયો, તેથી તેના બચાવમાં વાચસ્પતિ મિ ન્યાયપાતિક તાત્પર્ય ટીકા લખી. આ ટીકા ૫ વિરોધથી મુક્ત ન રહી ત્યારે ઉદયને તેના પર પરિશુદ્ધિ ટીકા લખી અદ્ ભુત તર્ક કૌશલ્યને પરિચય કરાવ્યું. માત્ર બૌદ્ધ વગેરે અવૈદક દર્શને જ નહીં પણ કેટલીક બાબતોમાં મીમાંસા અને વેદાન જેવા વૈદિક દર્શને પણ ન્યાયવશેષિક મતથી જુદા પડે છે. ત્યારે પણું આ દર્શનના ટીકાકારે પોતાના મતનું સમર્થન કરતા જોવા મળે છે.
આવી ધારદાર દલીલોની વર્ષા વચ્ચે પણ થોડા અપવાદે બાદ કરતા સર્વદર્શને ના આચાર્યો અને વિદ્વાનોએ સારા પ્રમાણમાં સંયમ અને વિવેક જાળવ્યું છે એની પણ નોંધ લેવી ઘટે. માત્ર, તત્ત્વબ્રુસ એ નવાવાદનું સાચું લક્ષણ છે તે વાત છેડા સમય માટે વિસારે પડી, અને સવમનસ્થાપન તથા પરમતખંડન કરતા “જલ્પ ’ને પ્રાધાન્ય આપવામાં આવ્યું, તેનાથી પારમાર્થિક સત્ય પૃષ્ઠભૂમિમાં સરકતું લાગે છે અને તર્ક જાળથી ઉત્પન્ન થતી ક્લિષ્ટતાના કારણે
છે ઉદા. નાસતો વિદ્યારે મારો સામાકો વિતે : |
उभयोरपि दृष्टोऽन्तस्वनयोस्तत्वदर्शिभिः ॥२-१६ શ્રી મદ્વાચાર્ય પ્રથમ ચરણમાં વિલે પાવ:ને fuતેડમાવ: એમ સમજાવે છે તથા બીજા ચરણમાં રામાશો વિવશતઃ અમ સમજાવે છે તેમના મતે અસર અને સન બન્ને નિત્ય છે એ તિવાદ અહીં અપેક્ષિત છે. આ ઉપરાંત શ્રીશંકરાચાર્ય શ્રી રામાનુજાચાર્યા વગેરેની ટીકાએમાં ૫ણું સ્વસિદ્ધાંતનું સમર્થન કરવાના પ્રયાસ જઈ શકાય છે.
For Private and Personal Use Only