Book Title: Swadhyay 1996 Vol 33 Ank 03 04
Author(s): Rajendra I Nanavati
Publisher: Prachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
६२००
www.kobatirth.org
જયકીર્તિ :
જયકીતિ અને શ્રી હેમચંદ્રાચાર્ય બંનેના છંદસ વિષયક ગ્રંથનું નામ એક જ ‘ છંદોનુશાસન ' છે. બન્ને અલગ કૃતિ છે. જયકીર્તિ દક્ષિણ ભારતના કન્નડભાષી પ્રદેશના દિગંબર જૈન સાધુ હતા. તેમના સમય આશરે ઈ. સ. ૧૦૦૦ની આસપાસના છે. પ્રેફે. વેલણુકર મુજબ જયકીતિ કેદારભટ્ટ અને હેમચંદ્રાચાયની વચ્ચેના સમયના લેખક છે.૧૦ જયકાંત શ્રી હેમચ`દ્રાચાર્યના પુરગામી છે એમ સિદ્ધ કરતું કોઇ પ્રબળ પ્રમાણ નહીં હોવાથી, એ સુનિશ્ચિતરૂપે કહી શકાય તેમ નથી,
'
જયકીર્તિના છૂંદાનુશાસન ’માં વૈદિક છંદોના લક્ષણા નથી. તેમણે છદેશનાં ઉદાહરણુ પણ આપ્યાં નથી. પિંગલની જેમ આ કૃતિ આઠ અધિકારામાં વિભક્ત છે. તેમાં અષ્ટગણુ, લઘુ-ગુરુ, યતિ વગેરે સંજ્ઞાએ સમજાવવામાં આવેલ છે. ગ્રંથના આરંભમાં તેમણે વમાનને વંદન કરેલ છે. પછી સમ–અ સમ—વિષમવૃત્તો, આયંતિ, માત્રાસમક, વૈતાલીય, દ્રૌપદી વગેરેનાં લક્ષણો છે. કર્ણાટકના પ્રાકૃતમાં પ્રસિદ્ધ કેટલીક જાતિનાં એટલે કે માત્રામેળ છંદોના લક્ષણા એ આ ગ્રંથની આગવી બાબત છે. છેલ્લે પ્રસ્તાર વગેરે પ્રત્યયાને સમજાવવામાં આવ્યા છે.
ܙ
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગોવિદલાલ શ. શાહ
જયકાતિ એ ભરત, પિંગલ, સેતવ, માંડવ્ય, જનાશ્રય, શ્રીપાદપૂજ્ય જયદેવના ઉલ્લેખ પોતાની કૃતિમાં કરેલ છે. છંદનુશાસન 'માં તેમણે કેટલાક નવીન છંદોનાં લક્ષણુ આપ્યાં છે. જયકતિ એ છંદની સામાન્ય બાબતે જણાવતી વખતે ‘ અનુષ્ટુપ ', માર્યાં અને સ્કન્ધકને પ્રયાગ કર્યા છે. છંદનુ લક્ષણ જે તે છંદના પાદમાં આપ્યું છે. આ શૈલીમાં અપાતાં લક્ષણા કેદાર ભટ્ટના ‘વૃત્તરત્નાકર 'નાં વધુ જાણીતાં બન્યાં છે. પશુ કેદારભટ્ટ પર તેમના પુરોગામી જયદેવ, યકતિનું ઋણ છે એ સ્વીકારવું રહ્યું. જયકતિ એ કયારેક સૂત્રોના પણ ઉપચેગ કર્યા છે.
એજન, પૃ. ૩૭,
જૈન છાંદસિકોની વિશેષતા એ છે કે જયદેવ સિવાય બીજા કોઈ, વૈદિક છઠ્ઠાના લક્ષણુ આપતા નથી. પોતપોતાના સમય સુધીના પ્રચલિત સ`સ્કૃત કાવ્યોનાં છંદનાં તે લક્ષણુ આપે છે જ. વધુમાં પોતાના પ્રદેશની પ્રાકૃત કે અપભ્રંશ ભાષાનાં કાવ્યોનાં છંદનાં લક્ષણ પણ આપે છે તથા એ ભાષામાંથી ઉદાહરણ આપી સમજાવે છે. શ્રી હેમચંદ્રાચાર્ય. આનું જ્વલંત ઉદાહરણ છે.
For Private and Personal Use Only