Book Title: Swadhyay 1996 Vol 33 Ank 03 04
Author(s): Rajendra I Nanavati
Publisher: Prachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંસ્કૃત ગ્રાના પાદર્ભે પાસમીક્ષાશાસ્ત્રને પ્રવૃત્તિવિક
સમયાંતરે અમુક જરૂરિયાત ઊભી થતાં, કે કોઈ સૂત્રનું અર્થઘટન અજ્ઞાત થતાં કે બેટું અર્થઘટન પ્રવર્તતાં અન્ય સૂત્ર રચવાની નવાં ઉમેરવાની જરૂર ઊભી થાય છે. આનાં નક્કર પુરાવાઓ પણ કેટલાક લેખામાં પ્રસિદ્ધ થયાં છે. જેમકે, લોકે. એસ. ડી. જોશીએ (CASS studies No. Univ. of Poona, Pune, 19 માં ) અવિતા -–૧૨ સુત્રને, તથા ન વાસ્તર્વિજનવપનો
રસવનુસ્વારકીર્ષક વિષy . ૨-૨-૩ ઈવાદિ સૂત્રોનું પ્રક્ષનું જાર કર્યા છે. એક ઇન્ડિયા આરિએન્ટલ કોન્ફરન્સ શાંતિનિકેતન ૧૯૮૦માં ઈન્ડિયન લીંગ્વીસ્ટીકસ વિભાગનું પ્રમુખીય વ્યાખ્યાન આપતાં ડે. જેશીજીએ જણાવ્યું હતું કે વૈદક સ્વરપ્રક્રિયાનાં અને તદ્ધત પ્રકરણનાં સૂત્રો પણ ઉત્તરવર્તીકાળમાં ઉમેરાયાં છે. એ જ પ્રમાણે, તેમણે અને પ્રોફે. ડે. શ્રીમતી સરજી ભાટેએ ‘ અષ્ટાધ્યાયી ’માં વપરાયેલા કુલ કારમાંથી ૫૦ ટકા જેટલા જ કારે નિરર્થક છે, અને પાછળના ઉમેરા છે. આથી પાણનિની “અષ્ટાધ્યાયી” સૂત્રપાઠની સમીક્ષિત આવૃત્તિ તયાર કરતી વખતે, જુદી જુદી સદીમાં સૂત્રોના પહેલા સ્તરમાં કયાં કયાં સૂત્રો હતાં? તે પછી બીજા સ્તરમાં કયા સૂત્રો ઉમેરાયાં? ક ત્રીજા સ્તરમાં કેવાં પરિવર્તને નવી તેડ જોડ શરૂ થઈ ? ઇત્યાદિનું નિરૂપણ કરવું પડે એમ છે.
(1) કાવ્ય (ગદ્ય, પદ્ય, નાટ્ય)ની રચના કોઈ એક જ કવિએ કરી છે. તેથી તેમની કૃતિઓને પાઠ એકરૂપ હોવો જોઈએ. આવી કાવ્યકૃતિઓ સ્વતંત્ર પ્રવાહીવાળી પાઠપરંપરામાં પ્રાયઃ જળવાઈ હશે; પણ કાલિદાસ જેવા લોકપ્રિય મહાકવિની કતિઓની પાઠુલપમાં વિભિન્ન પાક પરંપરાઓનું આંતર સંમિશ્રણ થયેલું જોવા મળે છે. નાટ્યકૃતિઓ, તે ભાસની હોય કે કાલિદાસની હેય પણું ભજવણી દરમ્યાન કાપકૂપવાળી કે નવા ઉમેરાવાળી (જેને ગાવૃત્તિ Stage scripts કહે છે.) પાઠપરંપરામાં પ્રવેહમાન બની છે. તેથી તેની પાઠસમીક્ષા પણ વિવાદાસ્પદ બની છે. ત્રીજી તરફ ભવભૂતિ જેવા નાટ્યકાર માટે “મહાવીરસ્યરત 'ને સંપાદક ટોડરમલ, અને “માલતીમાધવ'ના સંપાદક ડૉ. ભાડાકર સાહેબે એવો મત ઉચ્ચાર્યો છે કે આ કવિએ પોતે જ પોતાની નાટ્યકૃતિઓને પાઠ (text) એકરૂપ ર ન હતે ! વળી, તેમણે એકને એક પ્લેક પોતાના બે ત્રણેય નાટકોમાં જુદા જુદા સન્દર્ભ માં ફરી ફરીને વાપર્યો છે; અને તે દરેક વખતે તેમાં થોડાક શબ્દને બદલી કાઢયા છે ! આથી ભવતિનાં નાટકોની પાઢસમીક્ષાએ વળી એક નવી સમસ્યા ખડી કરી છે !*
(૫) શાસ્ત્રમ- કે ટીકાટિપ્પણું સાહિત્યના ગ્રન્થ, કે જ્યાં તર્કનું અને પ્રતિપાદ્ય વિષયનું પ્રાધન્ય હોય તેની હસ્તપ્રતોમાં જુદી જુદી પાઠપરંપરાઓ નીકળે પણ ખરી, અને ન પણ નીકળે. પરંતુ પ્રમાણમાં આની પાટ પરંપરામાં સંમિશ્રણ ઓછું થયું હોવાની સંભાવના છે.
૩ આ વિશે વધુ વિગત માટે “ ડો. યશોધરા કર'ના લેખ : “ The problems in the Critical Edition of the Astādhyāyi ", in Problems of Editing Ancient Texts; ed. Jha V. N., Chaukhamba Sanskrit Pratisthan, Delhi, 1993, pp. 94-119.
4 Belvalker S. K., Text tradition of Bhavabhūti's Uttara-Rāmacaritam; Journal of the american Oriental Society, Vol, 35, pp. 428-33,
સ્વા ૦ ૫
For Private and Personal Use Only