Book Title: Swadhyay 1996 Vol 33 Ank 03 04
Author(s): Rajendra I Nanavati
Publisher: Prachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કમલેશકુમાર છ. ચેકસી
કોશિકાકા વામન અને જયાદિત્ય :
આ પછી પાણિનીય પરંપરામાં ક્રમિક રીતે આગળ વધતાં વામન–જયાદિત્યની સંયુક્તકૃતિ કાશિકાવૃત્તિને ક્રમ આવે છે. અહીં એ ધ્યાન રાખવું યોગ્ય છે કે કાશિકારની સમક્ષ, પાણિનિ વ્યાકરણસૂત્રો, વાર્તિકો અને મહાભાષ્યને સામે રાખી લખાયેલ ભર્તુહરિને પ્રસિદ્ધ પ્રસ્થ વાક્યપદીય પણ હાજર છે. તેમાંથી પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે પા. વ્યા. પર. પ્રેરણા મેળવતી રહી છે. કાશિકાકારે પ્રસ્તુત સન્દર્ભમાં પણ વાક્યપદીય પાસેથી પ્રેરણું લીધી છે. સંભવતઃ આથી જ જે ઉપાય વાર્તિકકારે એકશેષને નિર્દેશ માની લઈને સૂચવ્યું છે, તે જ પ્રકારને ઉપાય કાશિકાકાર તન્ન થકી માનવાનું કહે છે. અલબત્ત, ભાષ્યના ટીકાકાર નાગેશ વાર્તિકકાર-ભાષ્યકારે બતાવેલા એક શેષને આશય “તત્ર” છે; એમ સમજવાનું ભારપૂર્વક જણાવે છે. ૧૩
કાશિકાકાર જણાવે છે તેમ હૃજ્યમ્ સૂત્રમાં (એક ટુ પદ તો છે જ, એ ઉપરાન્ત) એક બીજા દૃર્ પદનું તન થકી ગ્રહણ જોઈ લેવાનું છે. વળી, આ વધારાના હસ્તે અર્થ દૃશ્ય ર્ = શૂન્ (ષષ્ઠી તપુરુષ) એમ લેવાનું પણ કાશિકાકાર સૂચવે છે. આથી હવે, પ્રત્યાહાર પાઠ એટલે કે પ્રત્યાહાર સૂત્રોમાંના ા એ ચૌદમા સૂત્રમાંના ન ની સંજ્ઞા થતાં, એ ઈસંજ્ઞક વણું પોતાની આદિમાં આવેલા ટુ ની સાથે ઉચ્ચરિત થઈને ટું સ્વરૂપ સંજ્ઞા/પ્રત્યાહાર બની શકશે. આમ, આ પ્રક્રિયા મુજબ તૈયાર થયેલ ન એ હવે બીજો જે ન શબ્દ રહેશે, તેને માનીશું. આમ ઇતરેતરાશ્રય દોષ આવશે નહીં.
કાશિકાકારના ઉપર્યુક્ત કથનમાં પરંપરાથી ચાલી આવતી વિચારણાની અપેક્ષાએ એક બાબત નોંધપાત્ર છે. વાર્તકકાર-ભાષ્યકાર ટ્યૂન ૨ ટુ ૨ = હૃણ એમ એકશેષની મદદથી બે સ્ શબ્દો માની લેવા જણાવે છે; જયારે કાશિકાકાર એકશેષની મદદથી નહીં, પણ તત્રની મદદથી સૂનામ્ સૂત્રમાંના ની ધિરાવૃત્તિ માનવાને આગ્રહ સેવે છે,
તત્ર શબ્દનો અર્થ :
ઉપર જોયું તેમ કાશિકાકાર અહીં ઊભા થયેલા ઇતરેતરાશ્રયદેષને પરિહાર તત્ર દ્વારા સૂચવે છે. તન્યને આશય સમજાવતાં કાશિકા ઉપરની ન્યાસટીકામાં જિનેન્દ્રબુદ્ધિ જણાવે છે તેમ જે એક જ શબ્દ પોતાની જુદી જુદી આવૃત્તિ કર્યા વિના પણ અનેકને ઉપકાર કરે, તે તત્ર કહેવાય, જેમ સુપ્રજવલિત એક જ દીપક અનેક છાત્રોને ઉપકાર કરે છે.
१२ “हस्य ल्-हलिति द्वितीयमत्र हल्ग्रहणं तन्त्रेणोपात्तं द्रष्टव्यम् । तेन प्रत्याहारपाठे हलित्यत्र लकारस्य इत्संज्ञा क्रियते। तथा च सति हलन्त्यमित्यत्र प्रत्याहारे नेतरेतराश्रयदोषो મત !--8. દવાની તારલાયા; વાવૃત્તિ: (માજ ૨), પ્રાથમીરસીકરાનY, વારાણસી. સન ૧; ૬. ૨૬૬-૨૨૭.
१३ एकशेषशब्देन च भाष्ये तन्त्र लक्ष्यते । अन्यथा सह-विवक्षाभावादेकशेषः शास्त्रीयो न રવિતિ કોણમ્ -૩ોત; ૧. ૨૦.
For Private and Personal Use Only