Book Title: Swadhyay 1996 Vol 33 Ank 03 04
Author(s): Rajendra I Nanavati
Publisher: Prachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay

View full book text
Previous | Next

Page 54
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મનુષ્ય અને રાજ્ય-સંબધ અને શ્રી અરવિંદ ૧૫૫ સમાજ અને રાજ્યનું સ્વરૂપ : માનવવિકાસ ચક્ર” અને “માનવ એકતાને આદર્શ ' એ ગ્રંથમાં રાજય અને સમાજ અંગેના જે વિચારો લેખિત થયા છે તેના આધારે રાજયના સિદ્ધાંતને રજૂ કરી શકાય તેમ છે. આ સંદર્ભમાં રાજ્યના સ્વરૂપને વિકાસ શી રીતે થયું છે એ જાણવું રસપ્રદ બનશે. માનવવિકાસને પ્રથમ તબકકે નિમ્ન-તાર્કિક સ્તર જેમકે વૃત્તઓ, અવ્યવસ્થત ફુરણાઓ અને તૃષ્ણા દ્વારા વ્યક્ત થાય છે. પ્રાચીન ભારતમાં જાતિધર્મ અને કુળધર્મ એ આ પ્રારંભિક યુગની ઉત્પત્તિ હતા. આને નૈસર્ગિક સમાજ પણ કહી શકાય. જીવનના અજાગૃત સિદ્ધાંત તેમાં અંતનિધીત છે. સમાજનું એ આશયલક્ષી તેમજ રચનાત્મક બળ છે ત્યારબાદ તાકિ યુગ આવે છે. તેમાં સામૂહિક માનસ બોદ્ધિક રીતે વધુ ને વધુ આત્મસભાન બને છે. ત્રીજો તબકકે ભવિષ્યને લાગુ પડે છે અને તેનું લક્ષણ તાર્કિકતાથી પર આત્મલક્ષી ચેતના પર વધુ લક્ષ છે. ત્રીજા તબકકામાં અંતઃ સ્કૂરણાની શક્તિ અધિમનસ તથા અતિમનસના રીન્યની શક્તિ મનુષ્યના અને સમાજના રૂપાંતર તેમ જ તેની દિવ્યતા માટે શક્તિદાયક થશે. ઉપરોક્ત પ્રથમ તબકકે, જેમાં નિમ્ન તાર્કિકતા રહી છે. એ પછી તાર્કિક સમાજ નો બીજો તબકકે આવે છે. એ બે વચ્ચે જે સંક્રાંતિકાળ રહ્યો છે તેના સાધન તરીકે રાજ્ય છે. રાજ્યમાં એક પ્રકારની યાત્રિકતા રહી છે. અને તે હિસાની શક્તિને ધારાકીય સ્વરૂપ આપવું. તેમાં નિયંત્રણ અને ફરજના મૂલ્યને દાખલ કરવામાં તેને એકહથુંપણું વપરાય છે. કહત, કાર્યદક્ષતા જાળવવામાં તે મોટું સાધન છે. રાજ્ય એ મનુષ્યની તાર્કિક આંતનું વૈજ્ઞાનિક સાધન છે. તેમાં એ નૈસગિક, સેન્દ્રિય એકમને બૌદ્ધિક વ્યવસ્થા દ્વારા પુનઃ આજિત કરવામાં આવે છે. રાજ્યને ઇતિહાસ રાજકીય એકતાની પ્રક્રિયાને તેમ જ તેની સંગઠ્ઠિતતાને સત્તાની કેન્દ્રિયતાના વિકાસ દ્વારા રજૂ કરે છે. આ પલાં એટલે કે રાજકીય પ્રાદુર્ભાવની સ્થિતિ પહેલાં તેના કૌટુંબિક અને જાતિપરક સ્થાયીભાવનું પ્રભુત્વ હોય છે. રાજ્યમાં પ્રાંતિય દન્દ્રભાવ રહ્યો છે. જે વહીવટી અને ધારાકીય એકહથ્થુ સત્તા તરફ દોરી જાય છે. આ રીતે રાજ્ય એ રાજકીય સત્તાના કેન્દ્રિયપણાને પર્યાય છે. માનવજાતિને પ્રારંભિક ઇતિહાસ રાજકીય સત્તાના બહુલક્ષી અને વિવિધતાથી ભરેલાં કેન્દ્રો છે. રાજ્યનું આધિપત્ય અને તેની સત્તા-એકાગ્રતા સ્થિર રાજાશાહીના વિકાસ દ્વારા આપણને ઈજપ્ત, બેબીલોની આ, કીટ, હીટાઈટ સની મહાન સંસકૃતિઓમાં તેમજ ગ્રોસ અને રોમમાં પણ જોવા મળે છે. વેદમાં પણ રાજની સત્તાના વિકાસના પુરાવાઓ મળે છે. ઘણા દેશમાં રાજની સત્તા એ અ૯૫જન સત્તાશાહી (Oligarchy) કે ધનવાના રાજ્ય દ્વારા પરિવર્તન પામતી હોય તેના દાખલાઓ છે. ગ્રીસમાં અલ્પજન સત્તાશાહી ધીમે ધીમે દાખલ થઈ. રામમાં લેકહિત બાબતમાં રાજ્યની સેનેટનું મહત્વ એ આ સિદ્ધાંતને દર્શાવે છે, અલબત્ત, પાશ્ચાત્ય જગતમાં રાજકીય ચેતનાને વિકાસ સમેમ સમૂહના વિચાર અને સંકલ્પને પ્રતિનિધિ તરીકે ક્રિયાશીલ બનાવે છે એ આ રીતે જોઇ શકાય છે. પ્રારંભિક અને સેન્દ્રિય એકમ તબક્કો એકતાને હતો પરંતુ તેની કાર્યદક્ષતા એ જીવનને વિકાસ હતા. એમાં અવય અને શક્તિની સહજતા એ તેની આંતરિક પ્રેરણુ હતી. સર્ગિક For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138