Book Title: Swadhyay 1996 Vol 33 Ank 03 04
Author(s): Rajendra I Nanavati
Publisher: Prachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૧૬૨
હસિદ્ધ ોષી
સમાજનું નિયંત્રણુ થવું જોઈએ. આમ બૌદ્ધિક વિલીનીકરણ પછી આધ્યાત્મિક કે અધ્યાત્મલક્ષી વિલીનીકરણુના સિદ્ધાંત સ્થાપિત થવા જરૂરી છે. પ્રાચીન સત્યયુગને અર્થ પણ આધ્યાત્મિક દર્દીષ્ટએ મુક્ત વિલીનીકરણુ છે એમ શ્રી અરવિંદ પ્રતિપાદન કરે છે.૧૩
આધ્યાત્મિક વિલીનીકરણના સિદ્ધાંત :
શ્રી અરવિંદ વિલીનીકરણના પ્રાણલક્ષી હિંસક સ્વરૂપની ચાક્કસપણે વિરુદ્ધ છે. એ તેના બીજા સ્વરૂપ કે વિલીનીકરણની તાત્ત્વિક વિચારધારા પ્રત્યે વિશેષ સહાનુભૂતિ વ્યક્ત કરે છે. પરંતુ એ તાત્ત્વિક કે બૌદ્ધિક વિલીનીકરણ દ્વારા એક આધ્યાત્મિક સમાજ સČતા હોય જેમાં માનવ આદર્શોને મૂર્તિમંત કરવામાં આવતા હાય તે। એવા સમાજને શ્રી અવિધ આવકારશે. માનવ અસ્તિત્વને માદન આપવા આંતરિક નિયંત્રણ અને આધ્યાત્મિક ઉગમા રચવાની એ હિમાયત કરે છે. જો ૐ શ્રી અરવિંદ આધ્યાત્મિક વિલીનીકરણની તરફેણુમાં છે છતાં એ આધ્યાત્મિક વિલીનીકરણવાદીઓના આત્યંતિક મંતવ્યા સાથે સંમત થશે નહીં. એ કહે છે કે “ વમાન સમયમાં તેની જે અભિવ્યક્તિ છે તેમાં ઘણું અતિશયોક્તિભર્યું અને અપૂર્ણ છે; તેના પ્રવકતાએ પ્રાણલક્ષી જીવનના અસંભવિત એવા આત્મા-વિલીનીકરણુને ઉપદેશ આપે છે અને તેમને રક્તવાદ પ્રાણતત્વના શુદ્ધિકરણ તેમ જ રૂપાંતરને બદલે તેમનું દમન અને તેને મારી નાખવાની હિંમાયત કરે છે. જીવન સ્વયં કચડાઈ ગયેલું કે સુકાઇ ગયેલું જણાય છે અને કડક ચુસ્તતા દ્વારા તેના મૂળિયાં સુકાઈ ગયેલા જણાય છે. ક્રાંતિના આશયથી દારાઈને તેના આગેવાના સંસ્કૃતિને નિષ્ફળતા તરીકે ઉતારી પાડે છે, પરંતુ તેમાં તેએ સસ્કૃતિના મૂલ્યવાન લાભો અને ગુણાને હાંકી કાઢે છે. ૧૪
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગઈ સદી દરમ્યાન રશિયાના વિચારક લિયો ટોલ્સટોય રાજ્યને અહંકાર તથા બળની ઉત્પત્તિ તરીકે વિચારતા હતા. તેથી બાઈબલના ધ્યેયથી એ વિરુદ્ધ જતું હાય એમ જણાતું હતું. શારીરિક બળ અને સામ્યવાદના અત્યાચારને બાદ કરીને ટાલ્સટાય વિલીનીકરણુના મુખ્ય વિચારીને સ્વીકારતા હતા. પ્રારંભિક ખ્રિસ્તી ધર્માંના નૈતિક ધ્યેયને તેએ સ્વીકારતા હતા. તેથી પછીના સંગદ્ભુિત દેવળના એ વિરોધ કરતા હતા. આધુનિક સંસ્કૃતિ, વેપાર, વાણિજય, આર્થિક લેવડદેવડ અને નૈસગિČક વિજ્ઞાન પર આધારિત છે. તેથી તેને તેઓ વિરોધ કરતા હતા. રાજ્ય સાથે અને તેના વહીવટી યંત્ર સાથે અસહકારની વકીલાત કરતા હતા અને લેાકોને કર ન ભરવાનું શિખવતા હતા જ્યારે શ્રી અરવિંદ ‘ સવિનય કાનુનભંગ * (Resistance )ની ચળવળના સક્રિય નેતા હતા અને અસહકાર આંદોલન સાથે સ`કળાયેલા હતા તે સમય સાથે ટાલ્સટોયના ખ્યાલના કેટલાંક લક્ષણા સામ્ય ધરાવે છે. ટાલ્સટાય એમ વિચારતા હતા કે ગ।સ્પેલ 'ના પ્રાચીન આદર્શ ને અનુસરવાથી માનવજાતિનું પુનરુત્થાન થશે. ટાલ્સટોયના વિચારમાં નાંતક અને ધામિઁક પુનર્જાગૃતિ પર ભાર છે ત્યારે થી અરવિંદના ચિંતનમાં અજાગૃત ચેતનતત્ત્વ અને માનવઆત્મતત્ત્વની વૈશ્વિક શક્તિની શોધ પર ભાર મૂકવામાં આવ્યા છે.
13 શ્રી અરવિંદ : આઈડીઅલ ઔફ હ્યુમન યુનિટી વા. ૯, શ્રી અરવિંદ ઈન્ટરનેશનલ સેન્ટર ઓફ એજ્યુકેશન ક્લેકશન, શ્રી અરવિંદ આશ્રમ, પાંચેિરી, ૧૯૬૨, ૬૮૪-૩૮૫.
૧૪ શ્રી અરવિંદ : હ્યુમન સાઈકલવા. ૯, શ્રી અરવિદ ઈન્ટરનેશનલ સેન્ટર ઑક્ એજ્યુકેશન ક્લેકશન, શ્રી અરવિંદ આશ્રમ, પાંચેિરી, ૧૯૬૨, પા. ૨૭૩-૨૭૪,
For Private and Personal Use Only