Book Title: Swadhyay 1996 Vol 33 Ank 03 04
Author(s): Rajendra I Nanavati
Publisher: Prachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay

View full book text
Previous | Next

Page 52
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મનુષ્ય અને રાજય- સંબંધ અંગે શ્રી અરવિંદ ૧૫૩ સામૂહિક અસ્તિત્વમાં વિચાર સ્વયે આત્માના સિદ્ધાંતને આવિર્ભાવ છે અને સમયની દષ્ટિએ માનવજાતિના વિશિષ્ટ વૃગ એ વિકાસ ચક્રમાં આત્મતત્વના વિશિષ્ટ લક્ષણેને અભિવ્યક્ત કરે છે. જે પ્રજામાં શત હોવ, બાહ્ય પ્રાણતત્ત્વ, ભોતિક સ્વરૂપ, મનોવૈજ્ઞાનિક અભિવ્યક્તિ અને આમતત્વની કેન્દ્રિય શકિતને વેગ્ય રીતે રજૂ કરી શકે તેમ હોય તે વિવિધ રાજકીય અને સામાજિક પરિસ્થિતિઓમાંથી આવી પ્રજા અને સંસ્કૃતિ પસાર થઈ શકે છે તેને મહત્તમ વિકાસ થાય છે. આવા આધ્યામિક સક્રિયતાના ખ્યાલને લીધે એતિહાસિક દષ્ટિએ શ્રી અરવિંદનું રાજકીય ચિંતન હેગલના રાજકીય ચિંતનથી જુદું પડી જાય છે. હેગલ એમ માને છે કે અમુક વિશિષ્ટ યુ માં અમુક રાષ્ટ્ર મૂર્તિમંતપણે સમગ્ર જગતના ઇતિહાસનું પ્રતિનિધિત્વ કરે છે. જો આવા રાષ્ટ્રની પડતી થાય તે જાણે કે વરિષ્ઠ વિકાસના સિદ્ધાંતની નિષેધકપણે અભિવ્યક્ત થતી હોય એમ એ વિચારે છે જ્યારે આવી પડતી દશા થવા પામે છે ત્યારે કોઈ નો સિદ્ધાંત અન્ય રાષ્ટ્રને લઈને જગતના નકશા પર આવે છે. ત્યાર બાદ નિરક્ષેપ તત્ત્વની નજરમાં અગાઉ પડતી પામેલું રાષ્ટ્ર મૂલ્યવિહેણું થઈ જાય છે. આમ હેગલ રાષ્ટ્ર પ્રજા અને પરમતત્વને સાંકળવા પ્રયાસ કરે છે. રાષ્ટ્રની ચડતી પડતી જગતના ઈતિહાસના વૈશ્વિક મહત્ત્વ અને પરમતત્વની અભિરુચિ પર આધારિત છે. રાષ્ટ્ર પોતાની સ્વાયત્તતા કદાચ ગુમાવે એવું બને. શ્રી અરવિદ અને હેગલ બને એમ માને છે કે વૈશ્વિક ગતિમાં આવિર્ભાવ અને પ્રગટીકરણ ભાગ ભજવે છે. પરંતુ હેગલ જુદા પડે છે અને એમ માને છે કે ભિન્ન રાષ્ટ્રોની સક્રિય ઐતિહાસિક શક્તિની ખોટ પડે છે. એક રાષ્ટ્ર અમુક યુગના આધ્યાત્મિક કાર્યને પર્યાપ્ત રીતે સંભાળી શકે છે. અમુક સમય પછી એક રાષ્ટ્ર બીજા રાષ્ટ્રને આ કાર્ય સાપે છે. બીજે ત્રીજાને આપે છે અને આમ આમાની અભિવ્યક્તિ સમયપરકતા જાળવીને કરવામાં આવે છે. ઇતિહાસ આ પરિપાટી મુજબ ગત કરે છે. પરંતુ શ્રી અરવિંદ આમપરકતાની વૈશ્ચક અને ઐતિહાસિક શક્તિઓમાં દઢ રીતે માને છે અને એક જ રાષ્ટ્ર ઉત્તરોત્તર પ્રગતિ કરે છે. એ કહે છે કે કદાચ એવું લાગે કે સમયતત્ત્વ કે લેકલાગણીવાળી પ્રજાને નાશ થાય છે, ત્યારે આત્મતત્ત્વના બળ દ્વારા તેનું પુનરુત્થાન થાય છે અને ભારતને ભવ્ય ઇતિહાસ આવા લોકોના જીવનથી સભર છે. વ્યક્તિ અને સમૂહ વચ્ચે સંબંધની સમસ્યા અને તેનું નિરાકરણ એ સંદર્ભ માં શ્રી અરવિંદ અને પાશ્ચાત્ય આદર્શાલક્ષી રાજકીય વિચારકો વચ્ચે ભેદ જોઈ શકાય છે. જો કે શ્રી અરવિંદ સમૂહતત્વને બ્રહ્માના શરીર તરીકે અને સતત્ત્વની રચના તરીકે વિચારે છે તેમ છતાં વ્યક્તિના આધ્યાત્મિક મૂલ્ય પર હમેશ ભાર મૂકે છે. પ્રજા અને રાજ્યને નૈતિક સ્વરૂપ વિશે જે મીક ખ્યાલ છે તેને પાશ્ચાત્ય રાજકીય વિચાર પર ઊંડો પ્રભાવ પડ્યો છે. જિન જેક રૂસે (૧૭૧૨૧૭૭૮)ના ચિતનમાં સમૂહાત્વનું મહત્વ અને સામાજિક તેમ જ નૈતિક સાધક તરીકેની તેની ગણના એ મીક અસરને દર્શાવે છે. જોહાન ફિક્ત { ૧૭૬૨-૧૮૫૪) સમૂહતત્વને દિવ્ય ઉગમયુક્ત લેખે છે અને તેથી વ્યક્તિને પોતાની રીતે વિકાસ કરવાને આગ્રહ કરે છે. ફિસ્ત કહે છે કે વ્યક્તિ અન્ય મનુષ્યને પિતાના દ્વારા સજે છે. મનુષ્ય સમૂહતત્વ દ્વારા સાચા નૈતિક સાધક બની શકે છે. - ૭ શ્રી અરવિંદ : ધ સ્પીરીટ એન્ડ ફેમ ઓફ ઈન્ડીઅન પિલિટીઃ ધ ફાઉન્ડેશન્સ ઑફ ઈડીઅન કલ્ચર, શ્રી અરવિંદ આશ્રમ, ૧૯૬૮, પા. ૩૪૮-૪૯, સ્વા૦ ૭ For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138