Book Title: Swadhyay 1996 Vol 33 Ank 03 04
Author(s): Rajendra I Nanavati
Publisher: Prachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મનુષ્ય અને રાજ્ય-સંબંધ અંગે શ્રી અરવિંદ
શ્રી અરવિંદ વ્યક્તિના અને વ્યક્તિગત એકમના પૂર્ણત્વ પર વિશેષ ધ્યાન આપે છે, અને વ્યક્તિ દ્વારા સમાજની પૂર્ણતા મૂર્તિમંત થાય એ માટે હેતુપૂર્વક આયોજન કરે છે. ઓસ્ટ્રીઆના અર્થશાસ્ત્રી થનાર સ્પાન કહે છે કે સમાજ એ આધ્યાત્મિક તત્ત્વ છે અને
અખિલતત્ત્વ તરીકે એ કાર્ય કરે છે. સમાજની વસ્તુલક્ષિતા તેના અનેક વિભાગોમાં અખિલતત્ત્વની પ્રક્રિયા દ્વારા સઘનપણે કાર્ય કરે છે. વિજ્ઞાન, કળા, તત્ત્વજ્ઞાન અને ધર્મ દ્વારા સામાજિક વ્યવસ્થા વધુ મૂર્તિમંત થાય છે. શ્રી અરવિંદ એમ વિચારે છે કે વ્યક્તિ અને સમાજ એ દિવ્ય સત્તાના આવિર્ભાવ છે. તેથી તેમના થેય અને વ્યવહારમાં કઈ વિરોધ ન હૈ વો જોઈએ. પ્રાણલક્ષી, અહલક્ષી અને સ્વાથી વ્યક્તિલક્ષિતાને ખ્યાલ એ અતિશક્તિભર્યો અને એકપક્ષી છે. સમાજની સામૂહિકતા અને સામાજિક આત્માને દાવો એ વધુ પડતે છે એમાં સમતુલા જાળવવી, સંવાદિતા અને સમન્વય સાધવા માટે સામાજિક વિકાસને આદર્શ નિયમ એક્કસ મેળવવા જઈ એ. શ્રી અરવિંદના મતાનુસાર આ પૂર્ણ વ્યક્તિમત્વને નિયમ છે. શ્રી અરવિંદ અને ટાગોર સેન્દ્રિય સામૂહિકતાને વધુ મૂલ્યવાન લેખે છે. શ્રી અરવિદ સામાન્ય રીતે પાશ્ચાત્ય સમાજલક્ષી ખ્યાલને આવકારતા નથી. એ કહે છે કે સમાજને આત્મા છે અને તે સેન્દ્રિય એકમ છે. વ્યક્તિ એ આધ્યાત્મિક આત્મા છે પાશ્ચાત્ય રાજકીય આદર્શવાદમાં લેટ, હેગલ, બ્રેડલી અને બોસાંકટના વિચારોમાં સામું હેકતા પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે. આદર્શવાદ અને શ્રી અરવિંદ
પશ્ચિમના આદર્શવાદી ચિંતકો એક તરફ એમ વિચારે છે કે વ્યક્તિની આત્મ-ચેતના એ શાશ્વત ચેતનાને અંશ છે. પરંતુ બીજી તરફ વ્યક્તિને ઊતરતી સમજવામાં આવે છે. વ્યક્તિ એ આધ્યાત્મિક આત્મતત્ત્વ છે એ બાબતની નોંધ લેવામાં આવી નથી. એફ. એચ. બ્રેડલી વ્યક્તિને અમૂર્ત થાત તરીકે સમજતા નથી. વ્યક્તિ એ સમાજ સિવાય અન્ય કશું નથી. મનુષ્ય અંગે જે ખ્રિસ્તી ધર્મને ખ્યાલ છે કે એ ઇશ્વરની પ્રતિમામાં બતાવવામાં આવ્યો છે. તેની પશ્ચમની સાંસ્કૃતિક વ્યવસ્થામાં વિશેષ મહત્ત્વ આંકવામાં આવ્યું નથી. ખ્રિસ્તી વારસા કરતા ગ્રીક વારસાને પાશ્ચત્ય જગતના લોકો પોતાના સામાજિક અને રાજકીય વિચારમાં વધુ મૂલ્યવાન લેખે છે. તેથી ટાગોર અને શ્રી અરવિંદના ખ્યાલમાં સામાજિક સમગ્રતા અને વ્યક્તિની લાક્ષણિકતાને આધ્યાત્મિક સેન્દ્રિય એકમને ખ્યાલ મહત્વને જણાય છે. પાશ્ચાત્ય જગતમાં સામાજિક સંસ્થાઓને કેન્દ્રિય મહત્વ આપવામાં આવે છે. આ ઉપરાંત પાથત્ય રાજકીય આદર્શવાદમાં સમાજની સાથે અનુકુલન સાધવું મહત્વનું લેખવામાં આવે છે. ત્યારે શ્રી અરવિંદના ચિતનમાં વ્યક્તિ અને સમાજ વચ્ચે પારસ્પરિક આંતર ક્રિયાને મહત્વની લેખાય છે. શ્રી અરવિંદ સમૂહતત્ત્વના આધ્યાત્મિક ખ્યાલને રજૂ કરે છે.
આધુનિક પાશ્ચાત્ય સમાજશાસ્ત્રમાં સમૂહ અને સમાજ વચ્ચે ભેદ દર્શાવવામાં આવે છે. સર હેનરી મેઈન કહે છે કે પ્રાચીન જગતનું સામાજિક માળખું (Structure ) દરજાના ખ્યાલથી સંચાલિત થતું હતું. ત્યારે આધુનિક જગતમાં એ માળખું કરાર દ્વારા સંચાલિત થાય છે. ટોનીઝ પણ આવો ભેદ દર્શાવે છે અને કહે છે કે સમૂહને પ્રધાનવર્તી ખ્યાલ ક્રિયાશીલ અને મને વૈજ્ઞાનિક છે. ત્યારે સમાજને પ્રધાનવર્સી ખ્યાલ ધારાકીય અને સંસ્થાલક્ષી છે. ડરખાઈમ એમ કહે છે કે પ્રાચીન જગતમાં ભૌતિક તાવને મહત્વ આપવામાં આવતું હતું. ત્યારે આધુનિક
For Private and Personal Use Only