Book Title: Swadhyay 1996 Vol 33 Ank 03 04
Author(s): Rajendra I Nanavati
Publisher: Prachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay

View full book text
Previous | Next

Page 31
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૨ જસત મિ. પરીખ અર્થધટન તો એક અભિપ્રાય જ ગણુાય. સાવણનું ભાષ્ય ઘણું ઉપયોગી છે. તેનાથી વેદાર્થ તરફ જવાના માર્ગ પણ ખુલે છે, તે પણ બરાબર પરંતુ તેણે કરેલું અર્થઘટન સર્વસ્વીકૃત બની શકયું નથી. કોઈ ભાષ્યકાર વેદમાં આધિદૈવિક અને આધ્યાત્મિક અર્થો શોધે છે. અરે, સંસ્કૃત ભાષામાં રહેલી અનેક ર્થ નિષ્પન્ન કરવાની ક્ષમતાને લાભ લઈ વેદઋચાઓના શ્રીરામપરક કે શ્રીકૃષ્ણપરક અર્થધટનો પણ થયા છે, તે વિદ્વાનોને સુવિદિત છે. આ ઉપરાંત તેના ભાષાશાસ્ત્રીય દષ્ટિએ પણું અર્થઘટને થયા છે તે યોગપરક કે તંત્રપરક અર્થધટને પણ થયા છે. આજે પણ થયા કરે છે. સ્વામી શ્રી દયાનંદ સરસ્વતી અને શ્રી અરવિંદ જેવા અર્વાચીન ભાષ્યકારોના અર્થઘટને તેના ઉદાહરણો છે. કાવ્ય સાહિત્યમાં પણ મૂળ કવિને અનપેક્ષિત એવી અર્થછટાઓ કેટલીકવાર ટીકાકારે ઉપસાવી આપતા હોય છે. તેમાં તેમને હેતુ કયારેક તેમનું પિતાનું પાંડિત્ય દર્શાવવાને પણ હોય છે તે કયારેક કોઈ ચેકસ માન્યતાનું રક્ષણ કે પ્રદર્શન કરવા પણ હોય છે. જેમ કે નીલકંઠ જેવા શ્રીકૃષ્ણ ભક્તને મહાભારતના સભાપર્વમાં શિશપાલે કરેલી શ્રીકૃષ્ણની નિંદા સહન થતી નથી. તેથી તે નિદા કોને તેણે સ્તુતિપરક અર્થ કરી દેખાડે છે. તે પુષ્પદન્તનું શિવમહિમ્નસ્તોત્ર વાસ્તવમાં શિવસ્તોત્ર હોવા છતાં એક ટીકામાં તેને વિકપ વિપક અર્થ કરવામાં આવ્યો છે. ટીકાકાર કોઇવાર એવો કોઈ ઉલ્લેખ કરી બેસે છે કે જેથી કોઈ ઐતિહાસિક સંદર્ભ સંશયગ્રસ્ત બની જાય છે. જેમ કે કાલિદાસના મેઘદૂતના એક લેક (નં. ૧૪) પરની ટીકામાં મલ્લિનાથ દિન ગ શબ્દમાં પ્રસિદ્ધ બૌદ્ધ દાર્શનિક દિનાગને નિર્દેશ કલ્પે છે. અને એમ કાલિદાસને સમય નિર્ધારિત કરવાનું વ્રત લઈ બેઠેલા વિદ્વાનમાં તર્કવો રચાવા લાગે છે. ૫ ઉદાહરણ માટે આ એક બ્લેક અને તેના પર નીલકંઠની ટીકા પર્યાપ્ત છે–શિશુપાલ ભીમને કહે છે ज्ञानवृद्धं च वृद्धं च भयांसं केशव मम । अजानत इवाख्यासि संस्तुवन्कुरुसत्तम । गोनः स्त्रीनच सम्भीष्म कथं संस्तवमर्हसि । ३४-१५ टीका-गोन इति-गां वाचं हन्ति हिनस्ति 'यतो वाचो निवर्तन्ते' इति श्रुतेः । स्वस्माद् व्यावर्तयति तथा स्त्रीव स्त्रीसृष्टौ सहायभूता माया तखन्ता । वाचा मायिकस्य ગુજરાતઃ સ્તુતિઃ શાઃ અની રચના, વાજતી ત: સંતતિ , ન પtra I ६ अद्रेः शृङ्ग हरति पवनः किस्विवित्युन्मुखीभिः दृष्टोत्साहश्चकितचकितं मुग्धसिद्धाङ्गनाभिः । स्थानादस्मात्सरसनिचुलादुत्पतोदङ्मुखः खं दिङनागानां पथि परिहरन् स्थूलहस्तावलेपान् ॥ १४ ॥ મન્નિનાથરી......વિડના વાર્ધક્ય વિરાસતવાક્ય ઉત્તાવાર વિચારपूर्वकाणि दूषणानि परिहरन् भद्रः अद्रिकल्पस्य दिङ्नागाचार्यस्य शृङ्गं प्राधान्यम् । દક્ષિણાવતની ટીકા માં પણ આ જ ભાવ છે. For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138