Book Title: Swadhyay 1993 Vol 30 Ank 03 04
Author(s): Mukundlal Vadekar
Publisher: Prachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay

View full book text
Previous | Next

Page 46
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૦ કૃષ્ણકાન્ત કડક્ષ્યિા પડશે. જો એમ નહીં થાય તે લેખકે સર્જેલી કલામાં જે લયસંવાદ, નાટય-સત્ય વગેરે તત્ત્વ પ્રવેશેલાં છે તેને તે ગ્રહણ કરી શકશે નહીં. આ મૂળભૂત તત્ત્વ-પાયા જ જો ગ્રહુ ન થાય તે નટો દ્વારા નાટક સવળી રીતે પ્રગટાવી શકાય નહીં. અહીં રાઈ દર્પણું થઈ જાય છે—એવું કે જેમાં જાતને જોઇ શકાય. જાત—ઓળખની યાત્રાનુ` આ નાટક છે. ૬પ ગ્રુપથી રાઈને દણ આપે, રાઈ દર્પણુમાં જુએ અને અંદર પડેલા છટકી ન શકે એવા રાઈ તેને દેખાય, દર્પ ગ્રુપથી રાઈને પોતાના પથમાં જોડાઈ જવા નિમ ંત્રે, પણ એ મૌન થઈ જાય. લીલાવતી પણ જાણે એક દર્પણું છે. એવા મોટા દણુમાં પેાતાની જાતને જોઇને રાઈ ધ્રુજી ઊઠે, ‘તું દર્પણ સ્થાપશે ' એવાં મનોવૈજ્ઞાનિક પતિનાં સૂયતા પણ એને મળે, તે મહેલમાં દર્પણા મૂકવાનુ રાણીને કહેવડાવે. આ આખીયે . પ્રક્રિયા એની એ જાત—ઓળખની યાત્રાના માગ બની રહે છે.૧૦ લેખક પાત્રનું કેવું વ્યવસ્થિત તથા ક્રમશઃ ઘડતર કરે છે તે પણ ઉપર દર્શાવેલ યાત્રામાર્ગોમાં જોઇ શકાય છે. રાઈ યાત્રા પૂરી કરવાના જ છે અને દર્પણુ થવાના જ છે એ અંગેની શક્તિશાળી સબટેક્ષ્ટ તેા લેખકે મૂકી આપી છે તે પતરાય તરીકે પોશાક અને આભૂષણ્ણા પહેરે છે તે વખતે. જાલકા અને શીતસિંહ રાઈને આ પ્રસંગે કામઠું સાથે ન રાખવા વિનવે છે, ત્યારે રાઇ કહે છે ‘ કામઠું· ભલે રહ્યું અમારી પાસે, ખાલી ભાથું પછી મહેલે મેાકલી આપજો...૧૧ આ એ જગ્યા છે કે જ્યાં લીલાવતીના નિષ્પાપ ૬પણું રાષ્ટ્ર જગદીપ રૂપે પ્રગટશે તેની ખાતરી મળે છે. શંકાના કીડા કદાચ જાલકાના મનમાં પણ પ્રવેશે છે અને તેથી જ તે રાઈને સલાહ આપે છે “ જો રાઇ, આ આખી ઘટનામાં છલપ્રપચને કોઈ ભાર તુ મન પર ન રાખીશ.'૧૨ રાઈ પ્રગટવા માગે છે. એ કશું વિસરી જવા માગતા નથી તેથી જ તા માને કહે છે: મા! આ કામઠું હશે ને મારી પાસે એટલે કઈ વિસરાશે નહીં. ’૧૩ ને એ તેા ચડ્યો અંબાડીએ, ૬પ ગ્રુપ થીએ તરફ દ્દષ્ટિ કરી રાઈ કઈ ઈશારો કરે છે.૧૪ શા ઈશારા હશે એ ? હું પ્રગટવાનો છું, દર્પણું થઈ જવાન છું, એવા અથ સિવાય ખીજો રો અર્થ હોઈ શકે એ ઇશારાના ? દર્પણુંપથીને મુખમુદ્રા જાણીતી લાગી, જીકાનીધારીને એમણે ઓળખ્યો, એમની નજરે કામઠું પડયુ.૧૫ આ અને આવી ક્ષણેા લેખકે એટલી કુશળતાથી ગાઠવી આપી છે કે ધીરે ધીરે તે જન્મી રહ્યો છે તે સ્પષ્ટ દેખાઈ આવે છે. લીલાવતી સમક્ષ તે પ્રગટ થવાની મૂંઝવણુમાં છે ત્યાં માળીના વેશમાં રાઇ-બે પ્રવેશે છે. વૃંદ અને દણુપધીની આગેવાની નીચે એ રાઈ-એકને તીર આપે છે. ને તીર મળતાં જ પતરાયને બદલે . જગદીપ તરીકે તે પ્રગટે છે.૧૬ પ્રયાગમાં પ્રાકટયનું આ પરાક્રમ દર્શાવવા, પાત્રને ન્યાયપુરઃસર પ્રગટાવવા, ઉપરની તમામ ક્ષણા લેખકે જે ગોઠવી આપી છે તે દિગ્દર્શકને કેટલી બધી ઉપકારક છે ! For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124