Book Title: Sthambhan Parshwanath Charitra
Author(s): Manilal Nyalchand Shah
Publisher: Jain Sasti Vanchanmala

View full book text
Previous | Next

Page 316
________________ ( ૩૦૧ ) સગવડતામાં, સંસારની અનુકુળતામાં હર્ષ થતો નથી. એમની હષ્ટિ તે હમેશાં મધ્યસ્થ વૃત્તિવાળી જ હોય છે. સુખ દુઃખથી થતા આત્માના વિકારો હર્ષ, શોક એ તે અજ્ઞાનીઓને માટે જ હોય છે. દુઃખ આવતાં અજ્ઞાની અને શેક કરી અનેક ધમપછાડા કરે છે. ત્યારે જ્ઞાનવાન મનુષ્ય પ્રાપ્ત થયેલાં કમેને મધ્યસ્થભાવે ભેગવીને છૂટી જાય છે. કેમકે તે સમજે છે કે આ આત્માએ પૂર્વભવે ઉપજેલું મોટું પાપકર્મ કરજરૂપે ચુકવાય છે. એ કરજ ભરપાયે થતાં ફરી કાંઈ ચુકવવાનું રહેતું નથી. માટે એ કરજમાંથી મુક્ત થવાય તેમાં જ આત્મા નિવૃત્તિ મેળવી શકે છે. અભયદેવસૂરિ પણ પૂર્વભવને કોઈ વિપાક સમજી ધીરજથી એ કષ્ટને વ્યાધિ સહન કરવા લાગ્યા. જગતમાં દરદ અને દુશ્મન એ બન્નેની આંખે અંધ થયેલી હોય છે. તેઓ સારા કે ખોટા પુરૂષને ઓળખી શકતા નથી. એક સરખી રીતે જ જેની કેડે પડે છે એને અંત લઈ લે છે. જે એમ ન હોત તો જે થોડાજ સમય ઉપર તીર્થકર તરીકે પ્રગટ થયેલા છે એવા મહાવીર પ્રભુને દુ:ખ ભયંકર રીતે પાછળ પડતજ નહી. રૂષભદેવ ભગવાનને વર્ષદિવસ પર્યત નિરાહારપણે વિહરવું પડતજ નહી. આજે અભયદેવસૂરીશ્વર એવી જ રીતે કુષ્ટના રોગથી પીડાતા ને પોતાના પૂર્વકૃત કર્મની આલોચના કરતા એ દુષ્કતની નિંદા કરવા લાગ્યાં. દુખના સમયમાં પૈર્યતા એ માનવતાનો અપૂર્વ ગુણ છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358