Book Title: Sthambhan Parshwanath Charitra
Author(s): Manilal Nyalchand Shah
Publisher: Jain Sasti Vanchanmala

View full book text
Previous | Next

Page 335
________________ (૨૦) રવીપ્રભસૂરિ થયા તે મહાવીરથી ૩૦ મી પાટે થયા. વિકમ સવંત ૭૦૦ માં નાંડેલમાં શ્રી નેમિનાથજીની પ્રતિષ્ઠા એમણે કરેલી છે. વિક્રમના ત્રીજાને ચેથા સૈકામાં જેવી વલભીપુરની જાહેરજલાલી હતી તેવીજ હમણાં ગુજરાતમાં પંચાસરાનગરીની જાહોજલાલી હતી. વિકમના સાતમાં સૈકાના લગભગ અંત લગી જનભદ્રગણિ ક્ષમા શ્રમણ વિદ્યમાન હતા એમણે ક્ષેત્ર સમાસ, મોટી સંઘયણું, વિશેષાવય ભાષ્ય વગેરે ગ્રંથ રચ્યા છે. આ આચાર્ય યુગ પ્રધાન હતા. સંવત ૬૮૫ માં ૧૦૪ વર્ષની ઉમરે એમનું સ્વર્ગ ગમન થયું હતું. તેમની પછી–રવિપ્રભસૂરિને તે પછી મહાવીરની ૩૧ મી પાટે યશેદેવસૂરિ થયા ૩ર મા પ્રદ્યુમ્નસૂરિ થયા. તેમની પાટે માનદેવ ત્રીજા થયા ને પછી વિમલચંદસૂરિ થયા અને ૩૫ માં ઉદ્યોતનસૂરિ થયા. પ્રદ્યુમ્નસૂરિ સંવત ૮૦૦ માં વિદ્યમાન હતા. | વિક્રમના નવમા સૈકામાં મહાન પ્રાભાવિક સિદ્ધસેન સૂરિના શિષ્ય બપ્પભટ્ટ સૂરિજી થયા. એમણે કનોજના આમરાજને તેમજ ગડ દેશના ધર્મરાજને પ્રતિબંધીને જેન બનાવ્યા હતા. એ મહાન પ્રાભાવિક આચાર્ય સંવત ૮લ્પ માં પિતાની પાટે નન્નસૂરિ તથા ગોવિંદસૂરિને સ્થાપીને સ્વર્ગ ૧ બપ્પભટ્ટસૂરિ અને આમરાજા ભાગ ૧-૨ જૈન સસ્તી વાચનમાળા તરફથી પ્રગટ થયેલ છે. જે વાંચનમાળાના ગ્રાહકોને સં. ૧૯૮૨-૮૩ માં અપાયેલ છે. બંને ભાગની છુટક કિંમત રૂ ૨-૮-૦ છે. ખાસ વાંચવા જેવા છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358