Book Title: Sthambhan Parshwanath Charitra
Author(s): Manilal Nyalchand Shah
Publisher: Jain Sasti Vanchanmala

View full book text
Previous | Next

Page 338
________________ (૩૨૩) થયેા. અજાતશત્રુ એવે નામે તે પ્રસિદ્ધ થયા ત્રણ ખંડ પૃથ્વીના રાજાઓને એણે નમાવ્યા હતા. તેની પછી તેના પુત્ર ઉદાયી રાજા થયે તેણે પાટલી પુત્ર નગર વસાવી મગધની ગાદી પાટલીપુત્રમાં સ્થાપી. તેની પછી નવન થયા નવમા નંદ પશ્ચાત્ પ્રખ્યાત ચંદ્રગુપ્ત થયા. ચંદ્રગુપ્ત, બિંદુસાર, અશાક, સંપ્રતિ વગેરે સાવ ભામ ભારતેશ્વર એક પછી એક થયા. ભારતનો મ્હાર પણ એમના શત્રુએ એમનું નામ સાંભળીને કંપતા હતા. સંપ્રતિ રાજા પછી મગધનું સામ્રાજ્ય પુષ્યમિત્રના હાથ આવ્યું. વીર સંવત ૩૨૩ માં; તેની પછી ૩૫૩ માં અલમિત્રને ભાનુમિત્ર નામના પુરૂષાને ગાદી મળી. વીર સ ંવત ૪૧૩માં નલવાહન રાજા થયા. તેની પાસેથી સંવત ૪૫૩ માં અવંતીની ગાદી ગભજિલ્લ રાજાને મલી. એની પાસેથી શાખી લેાકેાએ આવીને ગાદી પડાવી લીધી. તેની પાસેથી વિક્રમાદિત્ય રાજાએ અવંતીનું રાજ્ય મડલ જીતી લીધું ને એ ચક્રત્તી થયા. તેણે પાતાના સંવત્સર ચલાન્યા, જે મહાવીર સ ંવત ૪૭૦ થી શરૂ થયેા. એ વિક્રમાદિત્યની વૃદ્ધાવસ્થામાં શાલિવાહન નામે રાજા પ્રતિષ્ઠાનપુરમાં થયા. એણે વિક્રમનુ ઘણુ ખરૂ રાજ્ય જીતીને પેાતાના રાજ્ય સાથે જોડી દીધું. વિક્રમ સંવત ૧૩૫ માં એણે પેાતાના સંવત્સર ચલાવ્યેા જે હાલમાં પણ દક્ષીણુ દેશમાં વધારે ચાલે છે. નવું વર્ષ એનુ ચૈતરથી ગણાય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358