Book Title: Siddhachal no Sathi Bhav Yatra Sahit
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Abhinav Shrut Prakashan

View full book text
Previous | Next

Page 42
________________ સિદ્ધાચલ ભાવયાત્રા - | ત્યાંથી થોડે ઉપર જતાનવું શ્રી ૧૦૮ તીર્થ મંદિરમાં રહેલા સર્વે જિનેશ્વરોને હું નમસ્કાર કરું છું. –“નમો જિણા-વચ્ચે અષ્ટાપદ રચનાકારે રહેલા ચાવીસ તીર્થકરોને પણ નમસ્કાર કરું છું. –“નમો જિણાવ્યું | સમવસરણ મંદિરેથી પાછા ફરી ગિરિરાજ યાત્રામાં આગળ વધતા બીજો વિસામે આવ્યું. ત્યાં પેળી પરબની સામેની દેરીમાં સિદ્ધગિરિને પ્રથમ ઉદ્ધાર કરાવનાર ભરત. ચકવતીના પગલાંને હું નમન કરું છું. | | ત્યાંથી સમથળ જમીન ઉપર ચાલતા-ચાલતા. પહેલો ઇચ્છાકુડ નામે કુંડ આવ્યા. ત્યાં રહેલા શ્રી નેમિનાથ-શ્રી આદિનાથ તથા શ્રી વરદત્ત ગણધરના પગલાંને. નમસ્કાર કરું છું. ત્યાંથી આગળ ચાલતા લીલી પરબ પછી ત્રીજો વિસામે આવ્યું. તેની બાજુમાં ઊંચા ઓટલા પર દેરીમાં શ્રી આદિનાથ સ્વામીના પગલાં છે. તેને હું નમસ્કાર કરું છું. પ્રભુજી આ હિંગળનેહડે, કેડે હાથંઈચડે રે, હવે હિંગળાજને હડ આવ્યું તે ચઢતા વચ્ચે હિંગળાજ માતાનું મંદિર આવ્યું. જ્યાં અંબિકા દેવીની મૂર્તિ જ હિંગળાજ માતા સ્વરૂપે ઓળખાય છે. તે હડે ચઢતા કપરૂં ચઢાણ પુરું થયું. ત્યાં આવેલા સુંદર વિસામે વિસામે લઈ હું આગળ વધું છું. ત્યાં નાની દેરીમાં કલિકુંડ. પાર્શ્વનાથ ભગવંતના પગલાને મારા નમસ્કાર. ગિરિરાજ પર નવા રસ્તે ન ચાલતા હું જુના રસ્તે પહોંચ્યા. ત્યાં સમવસરણ આકારની દેરીમાં રહેલા ભગવાન. મહાવીરના પગલાંને હવે નમસ્કાર કરુ છું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102