________________
સિદ્ધાચલજી યાત્રાના સ્થળે–પ્રસંગે
સૂરજકુંડ નિર્મળ જળથી ભરેલું છે. તેને ઘણો બધો મહિમા લોક પ્રસિદ્ધ છે. તે સર્વ રોગને નાશક છે.
ચંદ્રચૂડ નામે વિદ્યાધર પિતાની પ્રિયા સાથે ચૈત્રીપૂનમની યાત્રા કરી પાછો ફરતો હતો ત્યારે પિતાની પ્રિયાના વચને કુંડનું નિર્મળ જળ લઈ લીધું. વિમાનમાં બેસી આગળ વધતા નીચે જ્યાં નજર ગઈ તો જોયું કે રોગથી પીડિત મહિપાલ રાજા ચતુરંગી સેનાથી વીંટળાયેલ છે.
કરુણાબુદ્ધિથી તે વિદ્યાધર પત્નીએ મહિપાલ રાજાના શરીર ઉપર આ નિર્મળ જળના બિંદુઓ નાખ્યા. રાજાનું શરીર તુરંત નિરગી બન્યું. (૧૦) કપરીયક્ષ :
[સિદ્ધગિરિ યાત્રામાં આગળ ચાલતા વાઘણપોળની જમણી બાજુએ સમવસરણ સમેતશિખર વગેરે દેરાથી આગળ ચાલતા રસ્તા ઉપર કવડક્ષની દેરી છે :
ક્ષિતિપુર નગરમાં કુવિદ નામે વણકર હતું. તે દારૂ-માંસમાં આસકત હતો. તેને વાસ્વામીએ ઉપદેશ થકી ગઠિસહિયં પચ્ચખાણની સમજ આપી. પ્રતિબંધ પામેલા વણકરે નિયમ કર્યો કે મારે જ્યારે પણ કંઈ ખાવું. પીવું હોય ત્યારે વસ્ત્રની ગાંઠ છોડીને ખાવું પીવું.
એક વખત દારુની તલપ લાગી. વસ્ત્રમાં ગાંઠ અવળી પડી ગઈ હશે. કેમ કરી ને ગાંઠ છુટતી નથી. ધીમે ધીમે શરીર ખેંચાવા માંડયું. નસો તૂટવા લાગી છતાં નિયમને વળગી રહ્યો, અને સિદ્ધાચલજી ઉપર કપદીર્યક્ષ થયો. (૧૧) શ્રીધનેશ્વર સૂરિજી :
સિદ્ધગિરિ ઉપર વાઘણુ પિળમાં જમણી બાજુ જોધપુર વાળાના શતર્થોભિયા મંદિરના નીચેના ભાગે આ વિશાળ મૂર્તિ છે.]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org