Book Title: Siddhachal no Sathi Bhav Yatra Sahit
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Abhinav Shrut Prakashan
View full book text
________________
સિદ્ધાચલજી યાત્રાના સ્થળે–પ્રસંગે
૭૩
- હવે પ્રશ્ન ઉપસ્થિત થયે કે-આ લાવેલા ભગવાન કયાં બિરાજમાન કરવા? આથી આ મંદિરના પ્રતિમાજી ઉસ્થાપન કરીને અન્ય સ્થળે સ્થાપિત થયા અને નવા આદિશ્વર, કાઉસ્સગ્ગી આ અને પગલાં આ મંદિરમાં સ્થાપિત કરવામાં આવ્યા. આથી આ નવા આદિશ્વરનું દેરાસર કહેવાય છે. (૧૫) રાયણ પગલાં :
અહીં રાયણનું એક વૃક્ષ આવેલું છે. તેની નીચે સુંદર દેરીમાં ઋષભદેવ પરમાત્માની ચરણ પાદુકા હોવાથી તેને રાયણ પગલાં તરીકે ઓળખાય છે. ( રાયણ વૃક્ષ નીચે ફાગણ સુદ આઠમે ઋષભદેવજી પૂર્વ નવાણુ વખત સમવસર્યા હતા. તેથી તે પવિત્ર તીર્થની માફક પૂજનીય–વંદનીય છે. તેના પાંદડા-ફળ-ડાળીઓ ઉપર દેવતાને વાસ છે. માટે આખા વૃક્ષનું કોઈપણ અંગ છેદવું તેડવું નહીં.
આ રાયણ ના પૂજનથી શારીરિક દેષ નાશ પામે છે અને ખરી પડેલા પાંદડને સંગ્રહ કરવાથી સર્વ અનિષ્ટ દૂર થાય છે. જે પૂર્ણ ભક્તિ ભાવથી કઈ સંઘપતિ તેની પ્રદક્ષિણ દે તે રાયણ તેના પર હર્ષથી દૂધ વર્ષાવે છે. અને તે સંઘપતિ ઉભય લેકમાં સુખી થાય છે. (૧૬) શ્રી પુંડરિક સ્વામી :
ઋષભદેવના પુત્ર ભરતના પુત્ર ઋષભસેન અથવા પુંડરિકે ભગવંત પાસે દીક્ષા લીધી. એક વખત ઋષભદેવ * નવાણું પૂર્વની સમજણ :
૮૪ લાખ x ૮૪ = ૭૦૫૬૦,૦૦,૦૦,૦૦,૦૦૦
[સીનોર લાખ કરોડ, છપન હજાર કરોડ વર્ષ થાય). તેને ૯૯ વડે ગુણતા ૬૯ કડાકડી, ૮૫ લાખ કરોડ, ૪૪ હજાર કરોડ વર્ષે નવાણું પૂર્ણ થાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102