Book Title: Shrimali Vansh no Itihas ane Bhinmal Tirth Part 1 ane 2
Author(s): Vardhamansagar
Publisher: Mahavir Jain Aradhana Kendra Koba
View full book text
________________
નિર્વાહન સાઘન સર્વ બાબતના સવિસ્તર નિયમ ઘડવામાં આવ્યા છે. "ઔષનસ્ સ્મૃતિ” એ ખાસ વર્ણસંકર જાતિઓના નિયમોને જ ગ્રંથ છે. એ સ્મૃતિઓમાં બીજી સ્મૃતિ કરતાં વિસ્તારથી લખાયું છે કારણ કે જે પ્રદેશમાં ઔષનસ સ્મૃતિનો અમલ થથો હશે તે પ્રદેશમાં એ જાતિઓ બહુવિશેષ ફેલાવો પામેલી હોવી જોઈએ. બીજી સ્મૃતિના અમલના પ્રદેશમાં વર્ણસંકર જાતિઓ બહુ જ ઓછી હોય તેથી તે પ્રદેશના શાસ્ત્રકારોને એ સંબંધી વિશેષ નિયમો ઘડવાની જરૂર પડી ન હોય તે બનવા જોગ છે. ગુજરાતમાં જેટલી જ્ઞાતિઓ (વર્ણસંકર જ્ઞાતિઓ) છે, તેટલી બીજા કોઈ પ્રદેશમાં નથી તેથી એમ અનુમાન કરી શકાય તે ઔષનસ સ્મૃતિ કદાચ ગુજરાતને માટે જ રચાયેલી હોય. જ્યાં જરૂર પડતી ત્યાં બીજા વિભાગ માટે રચાયેલી પુરવણી
સ્મૃતિઓનો આધાર લેવામાં આવતો હતો. અત્યારે જેમ જુદી જુદી હાઈકોર્ટે એકબીજાના ફેંસલાનો આધાર લે છે તેના જેવું હતું.
જ્યારે વર્ણસંકર જાતિઓનો વધારો અસહ્ય થઈ પડ્યો ત્યારે શાસ્ત્રોકતઓએ કંટાળીને એ પીડાનો અંત આણવાનો નિશ્ચય કર્યો. વિષમ જાતિઓ વચ્ચેનો લગ્ન વ્યવહાર બંધ કરવાનું નક્કી કર્યું. દરેક માણસે પોતાની સમાન જાતિના અને પોતાની પૂરેપૂરી ઓળખાણ પિછાનના લોકો વચ્ચે જ લગ્ન સંબંધ બાંધવો. જેમનો દરજો જરાપણ ભિન્ન હોય અથવા જે લોકો વચ્ચે ઓળખાણ ન હોય તેમના વચ્ચે લગ્ન વ્યવહાર કરવો જ નહિ. આવા નિયમ ઘડવામાં આવ્યા. આ નવા નિયમોથી સમાન દરજ્જાના અને જાણીતા લોકોના જે સમૂહ બંધાયા તે જ અત્યારની જ્ઞાતિ.
જ્ઞાતિ એટલે શું ?
જ્ઞાતિ એ શબ્દ જ્ઞા ઘાતુ ઉપરથી થયો છે. જ્ઞાનો અર્થ જાણવું થાય છે.
જાણીતા લોકોનો સમૂહ તે જ્ઞાતિ. પહેલા એક વંશના, એક ગોત્ર પ્રવરના જેમને સૂતક લાગ્યું તેવા અને જેઓ વારસો પામે એવા ય તે એક જાતિ અથવા જ્ઞાતિ કહેવાતી. એ જ પ્રમાણે બ્રાહ્મણ માત્રની જ્ઞાતિ બ્રાહ્મણ, ક્ષત્રિયની ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્રની જ્ઞાતિ શૂદ્ર એમ
૨૫
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org