Book Title: Shrimali Vansh no Itihas ane Bhinmal Tirth Part 1 ane 2
Author(s): Vardhamansagar
Publisher: Mahavir Jain Aradhana Kendra Koba
View full book text
________________
બીજી બધી પ્રજાઓમાં પડતા નાના-મોટા ભેદોથી વધારે અનિષ્ટભેદ થઈ પડુયો. તેનું કારણ એ થયું કે આર્યપ્રજાની વર્ણવ્યવસ્થા જડ થઈ ગઈ અને તેના નેતાઓએ જે કંઈ કર્યું તે મૂળને અનુલક્ષીને કરવાને બદલે વર્તમાન પરિણામને અનુલક્ષીને કર્યું. ઊંચી વર્ણની ઉચ્ચતા જાળવી રાખવા તેમણે તેને અત્યંત જડ બનાવનારા બંધનો વધારે બાંધ્યા. અને અધમતાનું એકાદ પગથિયું ખોદીને જ અટક્યા નહિ, પણ એકની પછી બીજું, બીજા પછી ત્રીજું એમ ઉત્તરોત્તર સેંકડો પાયરી નીચે ઊતરી ગયા. બીજી બધી પ્રજાઓમાં ઉચ્ચનીચ, નીચાના ભેદ અને લગ્નના બંધન એ બધું હતું, તેમ સ્વેચ્છાચારી લગ્ન તથા તેનાથી થનારી પ્રજા ઊતરતી પાયરીની પણ ગણાતી, પણ એ બધું હતું તે આટલેથી જ અટકી જતું. જદો પડતો આ પ્રવાહ બહુ જ નજીકની મર્યાદામાં અટકીને થોડા જ સમયમાં વિશાળ રૂપ ધારણ કરી લેતો અને એ પછી સહજ અનુયોગ દ્વારા મળતાં મૂળની સાથે જોડાઈને તે એકાકાર થઈ જતો. આર્ય પ્રજાની વર્ણવ્યવસ્થા જડ થઈ જવાના પરિણામે અને જ્ઞાતિઓના વંશ નવા નવા થવાના કારણે આર્ય પ્રજાના ભેદ એકબીજા સાથે જોડાઈને તે એકાકાર થઈ જતો. આર્ય પ્રજાની વર્ણવ્યવસ્થા જૂની થઈ જવાને પરિણામે અને જ્ઞાતિઓના વંશ નવા નવા થવાના કારણે આર્ય પ્રજાને ભેદ એકબીજા સાથે સંધાવા પામ્યા નહિ. મૂળની એકતામાંથી તૂટેલાને પાછા જોડાવાનો પ્રસંગ મળ્યો નહિ. પ્રજાકીય ઐક્ય છિન્ન ભિન્ન થઈ ગયું અને આખરે જ્યારે નવા થતા ભેદોની સંખ્યા અત્યંત અસહ્ય થઈ પડી ત્યારે તેમણે હતું તેટલું કાયમ રાખીને નવા ભેદ થતા અટકાવ્યા. આ વખતે જે જ્યાં હતા ત્યાંને ત્યાં જડાઈ ગયા. હાલનું જ્ઞાતિબંધારણ આ રીતે બંધાયું છે.
હાલની જ્ઞાતિઓ વિષે પ્રાચીન સંસ્કૃત ગ્રંથોમાં જાણવા જેવું કશું ય મળતું નથી. કારણ કે તે છેક પાછળના વખતમાં બંધાઈ છે. જે કાળે પુરાણોની રચના ચાલતી હતી તે કાળે હાલની ઘણી ખરી જ્ઞાતિઓ બંધાઈ છે. એ બંધારણના કાળે જે તે જ્ઞાતિને તેના મૂળના વર્ણના અથવા મૂળસંકર જાતિના પેટા ભેદરૂપે માનવામાં આવતી હતી. આજે લાંબા કાળે દરેક જ્ઞાતિ જેવું પોતાનું સ્વતંત્ર સ્વરૂપ પામી
૩૩
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org