________________
સાધક સહચરી
एयं खु नाणिणो सारं; जं न हिंसइ किंचण । अहिंसं समयं चेव, एतावंतं वियाणिया ॥ ३ ॥
તે જ જ્ઞાનિજનો છે જે ન હણે કોઈ જીવને; અહિંસા સમતા એ બે જ્ઞાનીનાં ખાસ લક્ષણો. ૩
કોઈ જીવની લેશમાત્ર લાગણી ન દુભાવવી - હિંસા ન કરવી એ જ જ્ઞાની પુરુષના જીવનનો સાર હોય છે કારણ કે અહિંસા અને સમભાવ એ બે જ્ઞાનીનાં ખાસ લક્ષણો છે.
સૂ. ૧ : ઉ. ૪ : ૧૦ तहेव हिंसं अलियं, चोज्जं अबम्भसेवणं । इच्छाकामं च लोभं च, सज्जओ परिवज्जए ॥ ४ ॥
હિંસા, અસત્ય ને ચોરી અબ્રહ્મચર્ય સેવન; ભોગલિપ્સા તથા લોભ સંયમી તે સદા તજે. ૪
તે જ પ્રમાણે હિંસા, અસત્ય, ચોરી, અબ્રહ્મચર્ય, અપ્રાપ્ત વસ્તુઓની ઇચ્છા અને મેળવેલાનો પરિગ્રહ એ પ્રમાણે આ પાંચ સ્થાનોને સંયમી છોડી દે. ૩. ૩૫ : ૩
सन्ति एहिं भिक्खुहिं, गारत्था संजमुत्तरा । गारत्थेहि य सव्वेहिं, साहवो संजमुत्तरा ॥ ५ ॥
સંયમી જે ગૃહસ્થો તે ઉત્તમ કોઈ ભિક્ષુથી; પણ સુસાધુનો ત્યાગ ગૃહસ્થોથી ચડે સદા. પ
કોઈ સાધુઓ કરતાં કેટલાક ગૃહસ્થો અધિક સંયમી હોય છે. પરંતુ સાધુતાની અપેક્ષાએ તો બધા ગૃહસ્થો કરતાં સાધુઓનો ત્યાગ અધિક ઉત્તમ હોય છે.
૩. ૫ : ૨૦