Book Title: Sadhak Sahachari
Author(s): Santbal
Publisher: Mahavir Sahitya Prakashan Mandir Ahmedabad

View full book text
Previous | Next

Page 101
________________ પર સાધક સહચરી નષ્ટ થાય છે. (જન્મમરણનાં દુઃખ પામે છે.) ઉ. ૬ : ૧ सत्थगहणं विसभक्खणं च, जलणं च जलपवेसो य । अणायारभण्डसेवी, जम्ममरणाणि बंधन्ति ॥ ४-५ ॥ ઝેર ખાઈ મરે કોઈ મરે કોઈ જળમાં ડૂબી; શસ્ત્રનો ઝાટકો ખાઈ મરે કોઈ અગ્નિમાં બળી. ૪ અનાચારી દુરાચારી અકાળ મૃત્યુ જે કરે; તે ફરે જન્મના ફેરા તોયે પાર ન પામતો. ૫ કેટલાક મૂઢ લોકો પોતાનાં જ પાપોથી ઉત્પન્ન થયેલા દુઃખથી કંટાળી ઝેર ખાઈને, કેટલાક પાણીમાં ડૂબીને, કેટલાક પર્વતથી પડીને, કોઈ અગ્નિમાં બળીને અને કોઈ અનાચાર કે દુરાચાર સેવીને-એવી રીતે જેઓ અકાળ મૃત્યુમાં મરે છે, તે આ સંસારમાં જન્મમરણના ખૂબ ફેરા ફર્યા કરે છે, છતાં સંસારનો અંત પામી શકતાં નથી. નોંધ : અકાળ મરણથી જીવાત્મા છૂટવાને બદલે બમણો બંધાય છે.

Loading...

Page Navigation
1 ... 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120