________________ Partgwwાનખાઈ કા:47kf Marriદામાdo sv =yhકાકાW.Trave Trees Utaru :કા ક + + + + 4 રી .w: +- - ''KaaT.B. Ed .Eaa 27 સાધક સહચરી નામ એટલા માટે પસંદ કરવામાં આવ્યું છે કે આ પુસ્તકમાં શ્રમણ અને ગૃહસ્થ બંને સાધકના જીવન વિકાસની ઉપયોગી સામગ્રી સંકલિત છે. આ પુસ્તકમાં જિજ્ઞાસુ સાધકના વિકાસમાર્ગમાં રોધ કરતા અભિમાન, ક્લેશ, કપટ, માયા, લોભ, તૃષ્ણા, મોહ, સમાજદ્રોહ, છળ પ્રપંચ, રાગદ્વેષ ઇત્યાદિ શત્રુઓથી ઉગારી લેવામાં અને સંયમ, બ્રહ્મચર્ય, અહિંસા, જાગૃતિ, ત્યાગ, તપશ્ચરણ અને એવા ઉચ્ચ સગુણોને આરાધવાની પ્રેરણા પૂરવામાં સહાયક નીવડે તેવાં ધર્મપદોનો જ સંગ્રહ કરવામાં આવ્યો છે. તેથી જે જિજ્ઞાસુ સાધક સુખ મેળવવાનો સાચો અધિકાર ધરાવતો હોય તેને આ પુસ્તક સાથે રહી સહચરીની ફરજ પૂરી અદા કરે તઅનુરૂપ તેનું નામ પણ “સાધક સહચરી” રાખવામાં આવ્યું છે. આમાં જૈનધર્મમાં અતિ પ્રમાણભૂત ગણાતાં શ્રી ઉત્તરાધ્યયન, દશ વૈકાલિક અને સૂયગડાંગ વગેરે પદ્યાત્મક સૂત્રોમાંથી અહીં થોડાં ચૂંટી કાઢેલાં પઘપુષ્પો છે એની સંખ્યા 180 થી 190 સુધીની છે. આ બધાં પદ્યોને અહીં 14 વિભાગમાં વિભક્ત કરવામાં આવ્યાં છે. તેનાં નામ : સાધકવર્ગ, આત્મવર્ગ, ધર્મવર્ગ, વિકાસવર્ગ, વ્રત વિચાર વર્ગ, બ્રહ્મચર્ય વર્ગ, શુદ્ધિ વર્ગ, શ્રમણ વર્ગ, કર્મવર્ગ, વિશ્વ વર્ગ, વૈરી વર્ગ, પાપ શ્રમણ વર્ગ, જાતિ વર્ગ અને શિક્ષા વર્ગ. કોઈપણ ધર્મ, દર્શન કે મતનો અનુયાયી હો, ગૃહસ્થ હો કે ત્યાગી હો, સૌ કોઈ સાધકને ભગવાન મહાવીરના પદ્ય પુષ્પોની માળારૂપ બનેલી આ સાધક સહચરી આદર્શ સહચરી રૂપે નીવડો ! -- જંતબાલ મુદ્રક : વિપુલ પ્રિન્ટર્સ, 14, અડવાણી માર્કેટ, દિલ્હી દરવાજા બહાર, શાહીબાગ રોડ, અમદાવાદ-380 004. * ફોન : 562 24 62 Jevu yદયાજનક હાઇriwasiાગાકારામ જad મમતા જkrખા * Muni shri" ના નાનાનકwાનkhrutવળrwiાક પhaiામાં પાW