________________
પર
સાધક સહચરી
નષ્ટ થાય છે. (જન્મમરણનાં દુઃખ પામે છે.)
ઉ. ૬ : ૧ सत्थगहणं विसभक्खणं च, जलणं च जलपवेसो य । अणायारभण्डसेवी, जम्ममरणाणि बंधन्ति ॥ ४-५ ॥
ઝેર ખાઈ મરે કોઈ મરે કોઈ જળમાં ડૂબી; શસ્ત્રનો ઝાટકો ખાઈ મરે કોઈ અગ્નિમાં બળી. ૪ અનાચારી દુરાચારી અકાળ મૃત્યુ જે કરે; તે ફરે જન્મના ફેરા તોયે પાર ન પામતો. ૫
કેટલાક મૂઢ લોકો પોતાનાં જ પાપોથી ઉત્પન્ન થયેલા દુઃખથી કંટાળી ઝેર ખાઈને, કેટલાક પાણીમાં ડૂબીને, કેટલાક પર્વતથી પડીને, કોઈ અગ્નિમાં બળીને અને કોઈ અનાચાર કે દુરાચાર સેવીને-એવી રીતે જેઓ અકાળ મૃત્યુમાં મરે છે, તે આ સંસારમાં જન્મમરણના ખૂબ ફેરા ફર્યા કરે છે, છતાં સંસારનો અંત પામી શકતાં નથી.
નોંધ : અકાળ મરણથી જીવાત્મા છૂટવાને બદલે બમણો બંધાય છે.