Book Title: Sadhak Sahachari
Author(s): Santbal
Publisher: Mahavir Sahitya Prakashan Mandir Ahmedabad

View full book text
Previous | Next

Page 69
________________ ૩ : ધર્મ માર્ગ धम्मो मंगलमुक्किट्ठ, अहिंसा संजमो तवो । देवा वि तं नमसंति, जस्स धम्मे सया मणो ॥ १ ॥ ધર્મ મંગલ ઉત્કૃષ્ટ અહિંસા તપ સંયમ; દેવો પણ નમે તેને જેનું ધર્મે સદા મન. ૧ ધર્મ એ સર્વોત્તમ (ઉચ્ચ પ્રકારનું) મંગળ છે. અહિંસા, સંયમ અને તપ એ જ ધર્મનું સ્વરૂપ છે. આવા ધર્મમાં જેનું મન હંમેશાં લીન રહે છે તેવા પુરુષને દેવો પણ નમસ્કાર કરે છે. ⭑ દશ. ૧ : ૧ पाणिवहमुसावाया, अदत्तमेहुणपरिग्गहा विरआ । राई भोयणविरओ, जीवो भवइ अणासवो ॥। २ ।। પ્રાણીહિંસા, મૃષાવાદ મૈથુન ને પરિગ્રહ; અદત્ત ને નિશાભોજ્ય ત્યાગે ધર્મિષ્ઠ બને. ૨ પ્રાણીવધ, અસત્ય, મૈથુન (અબ્રહ્મચર્ય) અને પરિગ્રહ એ અહિંસામાં ‘સ્વ’ અને ‘પર’નું હિત છે. સૌ કોઈને શાંતિ મળે છે, માટે જ અહિંસામાં ધર્મ છે. સંયમથી પાપી પ્રવૃત્તિ અટકે છે, તૃષ્ણા મંદ પડે છે અને તેવા સંયમી પુરુષો જ રાષ્ટ્રશાંતિમાં સાચા ઉપકારક થઈ પડે છે, અનેક દુઃખિતોને તે દ્વારા જ આશ્વાસન મળે છે. માટે જ સંયમમાં ધર્મ છે. તપશ્ચર્યાથી અંતઃકરણની વિશુદ્ધિ થાય છે, માટે જ તપશ્ચર્યામાં ધર્મ છે. જ આ રીતે તે તત્ત્વો દ્વારા સામાજિક, રાષ્ટ્રીય અને આધ્યાત્મિક ત્રણે દૃષ્ટિઓનો સમન્વય, શુદ્ધિ તથા વિકાસ થાય છે. માટે જ તે ત્રણે તત્ત્વોની ક્રિયા તે ધર્મક્રિયા છે. આવા ધર્મમાં જેઓનું મન છે તેઓ મનુજ અને દેવોને પણ વંદ્ય હોય તેમાં કશું જ આશ્ચર્ય નથી.

Loading...

Page Navigation
1 ... 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120