________________
૩ : ધર્મ માર્ગ
धम्मो मंगलमुक्किट्ठ, अहिंसा संजमो तवो ।
देवा वि तं नमसंति, जस्स धम्मे सया मणो ॥ १ ॥
ધર્મ મંગલ ઉત્કૃષ્ટ અહિંસા તપ સંયમ; દેવો પણ નમે તેને જેનું ધર્મે સદા મન. ૧
ધર્મ એ સર્વોત્તમ (ઉચ્ચ પ્રકારનું) મંગળ છે. અહિંસા, સંયમ અને તપ એ જ ધર્મનું સ્વરૂપ છે. આવા ધર્મમાં જેનું મન હંમેશાં લીન રહે છે તેવા પુરુષને દેવો પણ નમસ્કાર કરે છે.
⭑
દશ. ૧ : ૧
पाणिवहमुसावाया, अदत्तमेहुणपरिग्गहा विरआ । राई भोयणविरओ, जीवो भवइ अणासवो ॥। २ ।।
પ્રાણીહિંસા, મૃષાવાદ મૈથુન ને પરિગ્રહ;
અદત્ત ને નિશાભોજ્ય ત્યાગે ધર્મિષ્ઠ બને. ૨
પ્રાણીવધ, અસત્ય, મૈથુન (અબ્રહ્મચર્ય) અને પરિગ્રહ એ
અહિંસામાં ‘સ્વ’ અને ‘પર’નું હિત છે. સૌ કોઈને શાંતિ મળે છે, માટે જ અહિંસામાં ધર્મ છે. સંયમથી પાપી પ્રવૃત્તિ અટકે છે, તૃષ્ણા મંદ પડે છે અને તેવા સંયમી પુરુષો જ રાષ્ટ્રશાંતિમાં સાચા ઉપકારક થઈ પડે છે, અનેક દુઃખિતોને તે દ્વારા જ આશ્વાસન મળે છે. માટે જ સંયમમાં ધર્મ છે. તપશ્ચર્યાથી અંતઃકરણની વિશુદ્ધિ થાય છે, માટે જ તપશ્ચર્યામાં ધર્મ છે.
જ
આ રીતે તે તત્ત્વો દ્વારા સામાજિક, રાષ્ટ્રીય અને આધ્યાત્મિક ત્રણે દૃષ્ટિઓનો સમન્વય, શુદ્ધિ તથા વિકાસ થાય છે. માટે જ તે ત્રણે તત્ત્વોની ક્રિયા તે ધર્મક્રિયા છે. આવા ધર્મમાં જેઓનું મન છે તેઓ મનુજ અને દેવોને પણ વંદ્ય હોય તેમાં કશું જ આશ્ચર્ય નથી.