________________
૨ ૧
ઘર્મ માર્ગ પાંચ દોષોથી તથા રાત્રિભોજનથી વિરક્ત થયેલો જીવાત્મા જ સાચો ધર્મિષ્ઠ બને છે.
ઉ. ૩૦ : ૨ एस धम्मे धुवे निच्चे, सासए जिणदेसिए । सिद्धा सिज्झन्ति चाणेण, सिज्झिस्सन्ति तहावरे ॥३॥ આ જ ધર્મ ખરો નિત્ય શાશ્વતો જિન વર્ણવે; મુક્તિ પામ્યા ઘણા એથી બીજાયે મુક્તિ પામશે. ૩
આ જ ધર્મ નિરંતર, સ્થિર અને નિત્ય છે. તે ધર્મનું પાલન કરી અનેક જીવાત્માઓ અંતિમ લક્ષ્ય પહોંચ્યા છે, પહોંચે છે અને પહોંચશે એમ તીર્થકર જ્ઞાની પુરુષોએ કહ્યું છે.
ઉ. ૧૬ : ૧૭ सोहीउज्जुयभूयस्स, धम्मो सुद्धस्स चिट्ठइ। निव्वाणं परमं जाइ, घयसित्तिव्व पावए ॥ ४ ॥ સરળ શુદ્ધ છે જેનું ચિત્ત, ત્યાં ધર્મની સ્થિતિ; ઘી સિંચ્યા અગ્નિની પેઠે શુદ્ધ નિર્વાણ પામશે. ૪
સરળ આત્માની શુદ્ધિ થાય છે અને શુદ્ધ મનુષ્યના અંતઃકરણમાં ધર્મ ટકી શકે છે તેમ જ ક્રમશ: તેવો જીવ ધીથી સિંચાયેલા અગ્નિની માફક શુદ્ધ થઈ શ્રેષ્ઠ મુક્તિને પામે છે.
ઉ. ૩ : ૧ર माणुस्सं विग्गहं लछु, सुई धम्मस्स दुल्लहा । जं सोच्चा पडिवज्जन्ति, तवं खंतिमहिंसयं ॥५॥ મનુદેહ મળે તોયે ધર્મની કૃતિ દુર્લભ; જે ધર્મશ્રુતિથી પામે અહિંસા, તપ ને ક્ષમા. ૫