________________
આત્મવર્ગ
૧૯
છે જ્યારે સ્વતંત્ર રીતે કષ્ટોને સહન કરવાં તે સાવ સહજ અને સુલભ છે.)
ઉ. ૧ : ૧૬ जो सहस्सं सहस्साणं, संगामे दुज्जए जिए । एगं जिणेज्ज अप्पाणं, एस से परमो जओ ॥७॥ મહાસંગ્રામમાં જીતે જે યોદ્ધો દસ લાખને; તેથી શ્રેષ્ઠ દુરાત્માનો વિજેતા જય મેળવે. ૭
દશ લાખ સુભટને દુર્જય સંગ્રામમાં જીતવા કરતાં એક જ માત્ર આત્માને જીતવો એ ઉત્તમ છે અને દુરાત્માનો વિજેતા સુભટ કરતાં શ્રેષ્ઠ અને સાચો વિજયી ગણાય છે. ઉ. ૩ : ૩૪
न तं अरी कंठछेत्ता करेइ, जं से करे अप्पणिया दुरप्पया ॥ ८ ॥ ગળાનો કાપનારો યે શત્રુ બૂરું કરે ન જે; દુબુદ્ધિ તે દુરાત્માની પોતામાં રહીને કરે. ૮
મસ્તકને છેદનાર શત્રુ જે અનર્થ ન કરી શકે તે અનર્થ દુષ્ટબુદ્ધિ પોતામાં રહીને જ કરી નાખે છે. ઉ. ૨૦ : ૪૮
अप्पाणमेव खुल्झाहि, किं ते जुज्ज्ञेण बज्झओ।
gu Tarqui, ગરૂના મુદા છે ? | લડો સૌ આત્મસંગ્રામે બીજાં સંગ્રામ શા કરો! શુદ્ધાત્માથી દુરાત્માને જીતીને સુખ મેળવો. ૯
આત્મા સાથે જ યુદ્ધ કરો, બહારના યુદ્ધથી શું વળવાનું છે ? શુદ્ધ આત્માથી દુષ્ટ પ્રકૃતિવાળા આત્માને જીતીને સુખ મેળવી શકાય છે. માટે આત્મયુદ્ધમાં લાગી પડો. ૧, ૯ : ૩૫