Book Title: Sadhak Sahachari
Author(s): Santbal
Publisher: Mahavir Sahitya Prakashan Mandir Ahmedabad

View full book text
Previous | Next

Page 90
________________ શ્રમણ વર્ગ ૪૫ જે ભિક્ષુ કલહ કરે છે અને બીજાને દુઃખ ઉત્પન્ન થાય તેવું બોલે છે તે ભિક્ષુની સાધુતા નષ્ટ થાય છે. માટે પંડિત સાધુ તેવું વર્તન ન રાખે. સૂય. ૨. ઉ. ૨ : ૧૯ बहुं सुणेइ कण्णेहिं, बहुं अच्छिहि पिच्छइ । न य दिटुं सुअं सव्वं, भिक्खू अक्खाउमरिहइ ॥ २३ ॥ સાંભળે બહુ કાનોથી દેખતો આંખથી ઘણું દેખેલું સાંભળેલું સૌ ભિક્ષુ બોલે નહીં કદી. ૨૩ ભિક્ષુ ઘણું પોતાના કાનેથી સાંભળે છે તથા આંખોથી જુએ છે; પરંતુ બધું જોયેલું કે સાંભળેલું બીજાને કહેવું તે તેને માટે યોગ્ય નથી. દશ. ૮ : ૨૦ सुअं वा जइ वा दिटुं, न वलिज्जीवघाइअं। न य केण उवाएणं, गिहिजोगं समायरे ॥ २४ ॥ જોયેલું સાંભળેલું તે જે પીડા પરને કરે; તેવું કૈ ના વદે ભિક્ષુ ગૃહસ્થાચારને તજે. ૨૪ જે સાંભળેલું કે જોયેલું કહેવાથી બીજાને ઇજા પહોચે કે લાગણી દુભાય તેવું પણ ભિક્ષુ કદી ન બોલે. તેમજ કોઈ પ્રકારે ગૃહસ્થને (સાધુને ન) છાજે તેવો વ્યવહાર સુદ્ધાં ન આચરે. દશ. ૮ : ૨૧ विभूसावत्ति भिक्खू, कम्मं बंधइ चिक्कणं ।। संसारसाये घोरे, जेणं पडइ दुरुत्तरे ॥ २५ ॥

Loading...

Page Navigation
1 ... 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120