________________
શ્રમણ વર્ગ
૪૫
જે ભિક્ષુ કલહ કરે છે અને બીજાને દુઃખ ઉત્પન્ન થાય તેવું બોલે છે તે ભિક્ષુની સાધુતા નષ્ટ થાય છે. માટે પંડિત સાધુ તેવું વર્તન ન રાખે.
સૂય. ૨. ઉ. ૨ : ૧૯
बहुं सुणेइ कण्णेहिं, बहुं अच्छिहि पिच्छइ । न य दिटुं सुअं सव्वं, भिक्खू अक्खाउमरिहइ ॥ २३ ॥ સાંભળે બહુ કાનોથી દેખતો આંખથી ઘણું દેખેલું સાંભળેલું સૌ ભિક્ષુ બોલે નહીં કદી. ૨૩
ભિક્ષુ ઘણું પોતાના કાનેથી સાંભળે છે તથા આંખોથી જુએ છે; પરંતુ બધું જોયેલું કે સાંભળેલું બીજાને કહેવું તે તેને માટે યોગ્ય નથી.
દશ. ૮ : ૨૦
सुअं वा जइ वा दिटुं, न वलिज्जीवघाइअं। न य केण उवाएणं, गिहिजोगं समायरे ॥ २४ ॥ જોયેલું સાંભળેલું તે જે પીડા પરને કરે; તેવું કૈ ના વદે ભિક્ષુ ગૃહસ્થાચારને તજે. ૨૪
જે સાંભળેલું કે જોયેલું કહેવાથી બીજાને ઇજા પહોચે કે લાગણી દુભાય તેવું પણ ભિક્ષુ કદી ન બોલે. તેમજ કોઈ પ્રકારે ગૃહસ્થને (સાધુને ન) છાજે તેવો વ્યવહાર સુદ્ધાં ન આચરે.
દશ. ૮ : ૨૧
विभूसावत्ति भिक्खू, कम्मं बंधइ चिक्कणं ।। संसारसाये घोरे, जेणं पडइ दुरुत्तरे ॥ २५ ॥