________________
૪૬
સાધક સહચરી
દેહ સૌંદર્ય વૃત્તિથી બાંધતો કર્મ ચીકણાં*, તે સાધુ કર્મના ભારે ડૂબે સંસાર સાગરે. ૨૫
શરીર વિભૂષાને નિમિત્તે જે ભિક્ષુ ચીકણાં કર્મો બાંધે છે તે; તે કર્મોના ભારથી આ સંસારરૂપ મહાસાગરમાં ડૂબે છે. (અર્થાત્ જન્મમરણનાં ચક્રમાં પડે છે.)
દશ. ૬ : ૬૬
ર
* જે કર્મો ભોગવ્યા વિના જ્ઞાનથી કે તપથી દૂર ન થઈ શકે તે કર્મોને ચીકણાં (સ્નિગ્ધ) કર્યો કહેવાય છે. આવાં કર્મો તીવ્ર આસક્તિથી જન્મે છે.