________________
૯ : કર્મ વર્ગ
कम्मसंगेहिं सम्मूढा, दुक्खिया बहुवेयणा ।
अमाणुसासु जोणिसु, विणिहम्मन्ति पाणिणो ॥ १ ॥ કર્મ પાશે કરી મૂઢ અત્યંત દુઃખ વેઠતા; એવા જીવો હણાય છે અમાનુષાદિ યોનિમાં. ૧
કર્મના પાશથી જકડાયેલા અને તેથી મૂઢ બનેલા જીવો અમાનુષી (નરક કે તિર્યંચ) યોનિમાં જઈ ત્યાં દુ:ખનું વેદન કરીને હણાય છે. ૩. ૩: ૬
एगया देवलोएसु, नरएसु वि एगया । एगया आसुरं कायं, अहाकम्मेहि गच्छइ ॥ २ ॥
એકદા દેવલોકોમાં નરકોમાંય એકદા; એકદા આસુરી કાયા પામે જીવ સ્વકર્મથી. ૨
જેવા પ્રકારનાં કર્મો હોય તેવી રીતે તે જીવો પોતાનાં જ શુભાશુભ કર્મથી કદાચિત્ દેવલોકમાં, ક્વચિત્ નરક યોનિમાં અને ક્વચિત્ આસુરી યોનિમાં ગમન કરે છે.
ઉ. ૩ : ૩
कम्माणं तु पहाणार, आणुपुवीं कयाइउ । जीवा सोहिमणुप्पत्ता, आययंति मणुस्सयं ॥ ३ ॥ કર્મનાં પડળો કાપે ભોગવે ક્રમથી પુનઃ, ત્યારે તે શુદ્ધિને પામી પામે માનવ દેહને. ૩
જ્યારે તે કર્મોને ભોગવી લે છે ત્યારે તેનાં ગાઢ કર્મોનો ક્રમિક નાશ થાય છે અને ત્યારે શુદ્ધિને પામેલા તે જીવો અનુક્રમે જ મનુષ્યદેહને પ્રાપ્ત કરી શકે છે.