________________
४८
સાધક સહચરી सुक्तमूले जहा रुक्खे, सिच्चमाणे ण रोहन्ति । एवं कम्मा ण रोहन्ति, मोहणिज्जे खयं गए ॥ ४ ॥ સૂકેલાં મૂળિયાંવાળાં વૃક્ષો સિંચ્યાં ફળે નહિ, તેમ ફળે નહીં કમ મોહનીય ભળ્યા પછી. ૪
જે વૃક્ષો મૂળથી સૂકાઈ ગયાં હોય તે જળસિંચન કરવા છતાં ફરીથી પાંગરતાં નથી, તે જ રીતે મોહનીય કર્મ ગયા પછી બીજાં કમાં નિષ્ફળ થાય છે. (ખરી જાય છે.)*
પ્રાસ્તાવિક हिंसे बाले मुसावाई, माइल्ले पिसुणे सढे ! भुंजमाणे सुरं मंसं, सेयमेयं त्ति मन्नइ ॥ ५ ॥ હિંસક, મૂર્ખને જૂઠો માયાવી, ચાડિયો, શઠ; માંસ ને મદિરા મસ્ત તે તેમાં મોજ માણતો. ૫ कायसा वयसा मत्ते, वित्ते गिद्धे य इत्थिसु । दुहओ मलं संचिणइ, सिसुणागु व्व मट्टियं ॥ ६ ॥ જે રક્ત ધન, રામામાં મત્ત છે કર્મ વાણીથી; અણસિયુ દ્વિધા માટી સંચે તે તેમ પાપને. ૬ तओ पुट्ठो आयंकेणं, गिलाणो परितप्पइ । पभीओ परलोगस्स, कम्माणुप्पेहि अप्पणो ॥ ७ ॥
* જૈનદર્શનમાં કર્મનું સામર્થ્ય વર્ણવેલું છે. જીવાત્મા સારા-માઠાં કર્મવશાતુ જ ઉચ્ચ કે અધમગતિ પામે છે, તે કર્મોના આઠ પ્રકારોમાં સૌથી મહાન મોહનીય કર્મ છે. તેનો નાશ થયા પછી ઇતર કર્મો સર્વથા ખરી પડે છે.