________________
શ્રમણ વર્ગ સાધુઓ આ વિશ્વમાં વસે છે, તેઓ ફૂલમાં ભમરાની માફક આ સંસારમાં માત્ર પોતાની ઉપયોગી સામગ્રી તથા શુદ્ધ નિર્દોષ ભિક્ષા અને તે પણ ગૃહસ્થ આપી હોય તે મેળવીને સંતુષ્ટ રહે છે.
દશ. ૧ : ૨, ૩ धम्माराम चरे भिक्खू, धिईमं धम्मसारही । धम्मारामरते दन्ते , बम्भचेरसमाहिए ॥ १० ॥ ધર્મ બાગે ફરે ભિક્ષુ ધરીને ધર્મ સારથિ; ધર્મમાં રક્ત દાન્તાત્મા બ્રહ્મચર્ય સમાહિત. ૧૦
વૈર્યવાન અને સદ્ધર્મરૂપ રથ ચલાવવામાં સારથિ સમાન ભિક્ષુએ ધર્મરૂપી બગીચામાં વિચરવું; અને ધર્મરૂપ બગીચામાં રક્ત થઈને ઇન્દ્રિયોનું દમન કરી બ્રહ્મચર્યમાં જ સમાધિ કેળવવી.
ઉ. ૧૬ : ૧૫ लाभालाभे सुहे दुक्खे, जाविए मरणे तहा। समो निन्दापसंसासु, तहा माणावमाणओ ॥ ११ ॥ લાભ કે હાનિમાં નિંદા સ્તુતિમાં મૃત્યુમાંતથા; સુખ કે દુઃખમાં જીવી સાધુ રાખે સમાનતા. ૧૧
વળી લાભમાં કે અલાભમાં, સુખમાં કે દુ:ખમાં, જીવિતમાં કે મરણમાં, નિંદામાં કે પ્રશંસામાં અને માનમાં કે અપમાનમાં સાધુ સમાનતા જાળવે.
ઉ. ૧૯ : ૯૦ जहा मिगस्स आयंको, महारण्णाभि जायइ । अच्चन्तं रुक्खमूलम्मि, को णे ताणे तिगिच्छइ ॥१२॥ આતંક મૃગને જ્યારે થાયે મહા અરણ્યમાં ચિકિત્સા કો કરે તેની? વૃક્ષનાં મૂળમાં જઈ. ૧૨