________________
૪
૨.
સાધક સહચરી को वा से ओसहं देइ, को वा से पुच्छइ सुहं । को से भत्तं च पाणं वा, आहरित्तु पणामए ॥ १३ ॥ લાવી કોણ દવા આપે? કે પૂછે સુખ દુઃખને; તેને રે કોણ લાવીને ખાન પાન કરો તમે. ૧૩ जया से सुही होई, तया गच्छइ गोयरं । भत्तपाणस्स अट्ठाए, वल्लराणि सराणि य ॥ १४ ॥ નીરોગી તે બને જ્યારે ત્યારે જાય અરણ્યમાં; લીલાં ઘાસ અને પાણી શોધે છે ભોજનાથે તે. ૧૪ खाइत्ता पाणियं पाउं, वल्लरेहिं सरेहि य।। मिगचरियं चरित्ताणं, गच्छइ भिगचारियं ॥ १५ ॥ ખાઈ પી ઘાસ ને પાણી લીલા વને સરોવરે; ચરીને મૃગચર્યાને પોતાનું સ્થાન પામતો. ૧૫ एवं समुट्ठिओ भिक्खू, एवमेव अणेगए । मिगचारियं चरित्ताणं, उड्ड पक्कमइ दिसं ॥ १६ ॥ રાગ દ્વેષ હશે તેમ સંયમી રહી એકલો; મૃગચર્યા કરી તેમ પામે આત્મવિકાસને. ૧૬
મોટા અરણ્યમાં વૃક્ષના મૂળમાં બેઠેલા મૃગલાને જયારે રોગ ઉત્પન્ન થાય છે ત્યારે ત્યાં જઈ તેની સારવાર કોણ કરે છે?
ત્યાં જઈ કોણ તેને ઔષધ આપે છે ? તેની સુખદુ:ખની ચિંતા કોણ કરે છે ? કોણ તેને ભોજન-પાણી લાવીને ખવડાવે છે ?
જ્યારે તે નિરોગી થાય છે ત્યારે તે પોતાની મેળે ભોજન માટે વનમાં જઈ સુંદર ઘાસ અને સરોવરને શોધી લે છે.