________________
૫ ઃ વ્રતવિચાર વર્ગ मदविसयकसाया, निन्दा विगहा पंचमा भणिया। एए पंच पमाया, जीवे पाडन्ति संसारे ॥ १ ॥ વિષય, વિકથા, નિંદા, કષાય, મદ પાંચ એ; વૈરી રૂપ પ્રમાદો જે ભમાવે ભવચક્રમાં. ૧
અહંકાર, વિષય, ક્રોધાદિ, કષાયો, નિદ્રા અને પાંચમી વિકથા (જેથી પતન થાય તેવી કથા) આ પાંચે પ્રમાદો એકાંત ઝેરરૂપ છે અને જીવાત્માઓને સંસારમાં ધકેલી દે છે.
પ્રકરણસંગ્રહ जोगं च समणधम्मम्मि, जुंजे अनलसो धुवं । जुत्तो असमणधम्मम्मि, अटुं लहइ अणुत्तरं ॥२॥ નિત્ય આળસને ત્યાગી મન વાણી તથા ક્રિયા; જે જોડે સાધુના ધર્મો તે યોગી મુક્તિ મેળવે. ૨
સાધક; આળસને સર્વથા ત્યાગી તથા મન, વચન અને કાયા એ ત્રણેની (એકાગ્રતા) એકવાક્યતા કરી તે યોગને નિશ્ચળરૂપે શ્રમણધર્મમાં સ્થાપે. શ્રમણધર્મમાં સર્વથા યુક્ત રહેલો યોગી પરમ અર્થ (મુક્તિ)ને પામે છે. દશ. ૮ : ૪૩
जइ मज्झ कारणा एए, हम्मन्ति सुबहू जीवा । न मे एयं तु निस्सेसं, परलोगे भविस्सई ॥ ३ ॥ પોતાના સ્વાર્થને કાજે હણાયે બહુ જંતુઓ; નથી કલ્યાણ તેમાં મેં પોતાનું કે પારકું. ૩