________________
શ્રમણ વર્ગ
૩૯
ચંદનાદિનું અર્ચન, કીર્તિ, સત્કાર, સન્માન, પૂજન તથા સેવા થાઓ કે ન થાઓ; ભિક્ષુ પોતે તેને મનથી પણ વાંચ્છતા નથી.
ઉ. ૩૫ : ૧૮ अक्कोसवहं विइत्तु धीरे, मुणी चरे लाढे निच्चमायगुत्ते । अव्वग्गमणे असंपहिढे, जे कसिणं अहियासए स भिक्खू ॥४॥
અવ્યગ્ર ચિત્તને રાખી પ્રશસ્ત સંયમી સદા; આક્રોશ વધ ને કષ્ટો સહે પૈર્યથી સાધુ તે. ૪
કોઈ કઠોર વચન કહે કે મારે, તો તેને સ્વકર્મનું ફળ જાણીને તે બધાં કષ્ટોને પ્રસન્ન ચિત્તથી સહન કરે અને હંમેશાં અવ્યાકુળ ચિત્ત રાખે તે જ ભિક્ષુ કહેવાય. ઉ. ૧૫ : ૩
वत्थगंधमलंकार, इत्थीओ सयणाणि य । अच्छंदा जे न भुंजंति, न से चाइत्ति वुच्चइ ॥५॥ વસ્ત્ર, ગંધ, અલંકારો સ્ત્રીઓ ને શયનાસનો; પરાધીનપણે ત્યાગે તેથી ત્યાગી ન તે બને. ૫ जे य कंते पिए भोए, लद्धे विपिट्टी कुव्वइ । साहीणे चयइ भोए, से हु चाइत्ति वुच्चइ ॥६॥ સુંદર પ્રિય ભાગોને જે પામી અળગા કરે; સ્વાધીન પ્રાપ્ત ભોગોને ત્યાગે તે ત્યાગી છે ખરો. ૬ વસ્ત્રો, કસ્તુરી, અગર કે તેવા સુગંધી પદાર્થો, મુકુટાદિ અલંકારો, સ્ત્રીઓ તથા પલંગ વગેરે સુખશધ્યાને જે પરવશપણે ન ભોગવે તે કંઈ ત્યાગી કહી શકાય નહિ.
પરંતુ જે મનોહર તથા ઇષ્ટ એવા કામભોગો સ્વતંત્ર રીતે