Book Title: Sadhak Sahachari
Author(s): Santbal
Publisher: Mahavir Sahitya Prakashan Mandir Ahmedabad

View full book text
Previous | Next

Page 61
________________ સાધક સહચરી अणुसासिओ न कुष्पिज्जा, खंति सेविज्ज पण्डिए । खुडेहिं सह संसरिंग, हासं कीडं च वज्जए ॥ ३२ ॥ કરે ન કોપ શિક્ષાથી ક્ષમા રાખે સુપંડિત; ક્ષુદ્રોના સંગને છોડી ક્રીડા હાસ્ય તજે સદા. ૩૨ મહાપુરુષોની શિક્ષાથી મૂર્ખની પેઠે કુપિત ન થાય, શાણો થઈ સહનશીલતા રાખે, હલકા મનના માણસોનો સંગ ન કરે અને હાસ્ય તથા ગમ્મતોને પણ છોડી દે. ઉં. ૧ : ૯ मा य चण्डालियं कासी, बहुयं मा य आलवे । कालेण य अहिज्जित्ता, तओ झाइज्ज एगगो ॥ ३३ ॥ કદી ચંડાલનાં કર્મો ક્રોધાદિક કરે નહિ; બહુ પ્રલાપ છોડીને એકાંત ધ્યાનમાં રહે. ૩૩ ચંડાલનું કર્મ (કોપ) કદી પણ ન કરે, અને બહુ પ્રલાપ પણ ન કરે પણ સમય પ્રમાણે ભિક્ષા કે ઉપદેશ મેળવીને પછી એકાંતમાં તે શબ્દોનું ચિંતન કરે. ઉ. ૧ : ૧૦ आहच्च चण्डालियं कट्ट, न निण्हविज्ज कयाइवि । कडं कडेत्तिं भासेज्जा, अकडं नो कडेत्ति य ॥ ३४ ॥ કરી ચંડાલનું કર્મ કદી છુપાવશે નહિ; ગુરુની સન્મુખે સર્વે સ્વ દોષાદોષ દાખવે. ૩૪ ભૂલથી કોપ પણ થઈ જાય તો તેને કદી છુપાવે નહિ, જે દોષ થઈ ગયો હોય તેને ગુરુજનો પાસે કબૂલ કરી લે. જો * ચંડાલકર્મ એટલે દુષ્ટ કર્મ. તેમાં અન્યાય, અધર્મ, અકર્તવ્ય કે કોપ, કિપટ અને વિષયનો સમાવેશ થાય છે.

Loading...

Page Navigation
1 ... 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120