Book Title: Pruthvino Itihas
Author(s): Yashwant Gulabbhai Nayak
Publisher: Farbas Gujarati Sabha

View full book text
Previous | Next

Page 88
________________ જ્વાળામુખી અને ધરતીકંપથી થતા ફેરફાર ૨૭ હતાં. આગળ જણાવ્યું તેમ એમાંથી ઉડેલી સૂક્ષ્મ રાખ ૨૦ માઈલથી વધુ ઉંચાઈએ ગઈ હતી અને ઉપરના હવામાનદ્વારા આખી પૃથ્વીના પટ ઉપર ફેલાઈ ગઈ હતી. ધૂળથી થતાં પ્રકાશનાં વિકીરણ–scattering–ને લીધે એ બનાવ પછી દરેક દેશમાં 'ભવ્ય અને મને હર સૂર્યોદય અને સૂર્યાસ્ત જવાના મળ્યા હતા. આ પછી એ જવાળામુખી ૧૯૨૮માં કંઈક જાગૃત થયો હતેન - કેટલાક શાન્ત થવાની અણી પર આવેલ જવાળામુખીના મુખમાં હજી ઉકળતો લાવા નજરે પડે છે. કીલુઆ નામના (જ્વાળામુખીના મુખમાં રહેલે લાવા ભય વિના જોઈ શકાય છે. એ લાવા ઠંડે પડતું નથી અને હમેશાં ઉકળ્યાં કરે છે. ૧૯૩૧માં એ સહેજ ઉત્તેજિત થયો હતો. એ વખતે એમાંથી લાવા રસના કવાર ઉડતા હતા અને ૩૦૦ થી ૪૦૦ ફૂટ ઉંચે જઈ પાછા મુખમાં સમાઈ જતા હતા. ગળની કઢા જેમ ઊકળતી હોય તેમ ઉપરના શિખરથી હજાર ફુટ નીચે એ લાવા રસ ઉકળ્યાં કરે છે. કેટલાક જવાળામુખીના મુખમાં પાણી ભરાઈ રહે છે અને એ શાન્ત પડેલા હેવાથી મેટ સરોવર ઉત્પન્ન થયેલા છે. યુનાઈટેડ સ્ટેટ્સના દક્ષિણમાં પાણીને એક મૃત જવાળામુખી છે. એ છ માઈલ લાંબો અને પાંચ માઈલ પહોળો છે. એમાં ૧,૫૦૦ કુટ ઉંડું પાણી છે, અને ચારે બાજુ ૧,૦૦૦ ફુટ ઉંચા ખડકથી ઘેરાએલું છે. મધ્ય અમેરીકાના એક જવાળામુખીમાં એક ગરમ પાણીનું સરોવર છે. 2જવાળામુખી ફાટવાનું મુખ્ય કારણ પાણી જ છે. જમીનની અદર નાનાં છિદ્રો અને ફાટદ્વારા પાણી ભીતરમાં ઉતર્યા કરે છે અને એ પાણું ઉષ્ણુ થઈ વરાળરૂપે ભીષણ બળ ઉત્પન્ન કરે છે જવાળામુખી પ્રદેશમાંથી નીકળતા ઉષ્ણ પાણીના કુવારા એ સિદ્ધાંતને ટેકો આપે છે. પાણી લઈ તેની વરાળ બનાવીએ તે એનું કદ ૧,૭૦૦ ઘણું વધી જાય છે, એટલે જે એને બંધ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140