SearchBrowseAboutContactDonate
Page Preview
Page 88
Loading...
Download File
Download File
Page Text
________________ જ્વાળામુખી અને ધરતીકંપથી થતા ફેરફાર ૨૭ હતાં. આગળ જણાવ્યું તેમ એમાંથી ઉડેલી સૂક્ષ્મ રાખ ૨૦ માઈલથી વધુ ઉંચાઈએ ગઈ હતી અને ઉપરના હવામાનદ્વારા આખી પૃથ્વીના પટ ઉપર ફેલાઈ ગઈ હતી. ધૂળથી થતાં પ્રકાશનાં વિકીરણ–scattering–ને લીધે એ બનાવ પછી દરેક દેશમાં 'ભવ્ય અને મને હર સૂર્યોદય અને સૂર્યાસ્ત જવાના મળ્યા હતા. આ પછી એ જવાળામુખી ૧૯૨૮માં કંઈક જાગૃત થયો હતેન - કેટલાક શાન્ત થવાની અણી પર આવેલ જવાળામુખીના મુખમાં હજી ઉકળતો લાવા નજરે પડે છે. કીલુઆ નામના (જ્વાળામુખીના મુખમાં રહેલે લાવા ભય વિના જોઈ શકાય છે. એ લાવા ઠંડે પડતું નથી અને હમેશાં ઉકળ્યાં કરે છે. ૧૯૩૧માં એ સહેજ ઉત્તેજિત થયો હતો. એ વખતે એમાંથી લાવા રસના કવાર ઉડતા હતા અને ૩૦૦ થી ૪૦૦ ફૂટ ઉંચે જઈ પાછા મુખમાં સમાઈ જતા હતા. ગળની કઢા જેમ ઊકળતી હોય તેમ ઉપરના શિખરથી હજાર ફુટ નીચે એ લાવા રસ ઉકળ્યાં કરે છે. કેટલાક જવાળામુખીના મુખમાં પાણી ભરાઈ રહે છે અને એ શાન્ત પડેલા હેવાથી મેટ સરોવર ઉત્પન્ન થયેલા છે. યુનાઈટેડ સ્ટેટ્સના દક્ષિણમાં પાણીને એક મૃત જવાળામુખી છે. એ છ માઈલ લાંબો અને પાંચ માઈલ પહોળો છે. એમાં ૧,૫૦૦ કુટ ઉંડું પાણી છે, અને ચારે બાજુ ૧,૦૦૦ ફુટ ઉંચા ખડકથી ઘેરાએલું છે. મધ્ય અમેરીકાના એક જવાળામુખીમાં એક ગરમ પાણીનું સરોવર છે. 2જવાળામુખી ફાટવાનું મુખ્ય કારણ પાણી જ છે. જમીનની અદર નાનાં છિદ્રો અને ફાટદ્વારા પાણી ભીતરમાં ઉતર્યા કરે છે અને એ પાણું ઉષ્ણુ થઈ વરાળરૂપે ભીષણ બળ ઉત્પન્ન કરે છે જવાળામુખી પ્રદેશમાંથી નીકળતા ઉષ્ણ પાણીના કુવારા એ સિદ્ધાંતને ટેકો આપે છે. પાણી લઈ તેની વરાળ બનાવીએ તે એનું કદ ૧,૭૦૦ ઘણું વધી જાય છે, એટલે જે એને બંધ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035217
Book TitlePruthvino Itihas
Original Sutra AuthorN/A
AuthorYashwant Gulabbhai Nayak
PublisherFarbas Gujarati Sabha
Publication Year1936
Total Pages140
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy