Book Title: Pruthvino Itihas
Author(s): Yashwant Gulabbhai Nayak
Publisher: Farbas Gujarati Sabha

View full book text
Previous | Next

Page 107
________________ પૃથ્વીને ઈતિહાસ રિતીકંપને લીધે પહાડે અને ટેકરી ઉપરથી છૂટા થયેલા લપત્યરે અને મોટા ખડકે નીચે ગબડી પડે છે. જમીનના સ્તરે - તૂટી જઈ એક બીજા ઉપર સરી જાય છે, જેથી એ પ્રદેશના છપાણીના માર્ગો બદલાય છેટાં મોટાં ઝાડ ઉપડી જઈ જમીનમાં દટાઈ જાય છે. કેટલીક વાર જમીનમાં પડેલા ચીરા એટલા વિશાળ હોય છે કે કાયમનું નદી કે કાતરનું સ્વરૂપ લે છે. મીસીસીપીની ખીણમાં ૧૮૧૧-૧૨ના ધરતીકંપ વખતે આમ બન્યું હતું. જાપાનમાં ૧૮૯૧ના ધરતીકંપ વખતે એકપ મેદાનના બે ભાગ થઈ ગયા હતા એટલું જ નહીં પરંતુ એક બાજુને ભાગ બીજા કરતાં કાયમને માટે ઊંચી સપાટીને થઈ ગયો હતો. ધરતીકંપને લીધે કેટલીક વખતેઉઝરાઓ મેટા અગર નાના બની જાય છે અને એમાંથી નીકળતા પાણીમાં પણ ઘણી વાર રૂપાન્તર થઈ જાય છે. કેટલીક વાર નદીના પટ મધ્યમાં સુકાઈ જાય છે અને પાણી ભીતરના માર્ગે આગળ વધે છે. ધરતીકંપના કેન્દ્રથી સેંકડો માઈલ દૂર હોવા છતસરોવરના પાણીમાં મોટાં આંદોલન ઉત્પન્ન થાય છે, અને એ કેટલાએ કલાક સુધી ચાલુ રહે છે. કેટલીક વાર (ઈસરોવરો એકાએક શુષ્ક પણ થઈ ગયાં છે અને કેટલીક સપાટ જમીનમાં ખાડા પડી કાયમનાં સરેવર બની ગયા છે. કેટલેક ઠેકાણે નદીના પ્રવાહ ધરતીકંપથી તૂટી પડેલા કરાડાને લીધે માર્ગ પરિવર્તન કરે છે, એને કેઈક વાર માર્ગ ન મળવાથી એ કાયમનાં સરેવર બની જાય છે. સમુદ્રમાં ઉદ્દભવેલા જવાળામુખી મોટાં મોજાં ઉત્પન્ન કરે છે, અને એ કિનારા ઉપર પહોંચતાં ઘણું નુકસાન કરે છે. જો કિનારો નીચે હોય તે આસપાસના પ્રદેશમાં એ મોજાં ફરી વળે છે અને ત્યાંની ફળદ્રુપ જમીન ઉપર રેતી અને કાંકરીને થર પાથરી દે છે. (ધરતીકંપથી મેટે ભાગે જમીનનું સમતળ (level) બદલાય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140