SearchBrowseAboutContactDonate
Page Preview
Page 107
Loading...
Download File
Download File
Page Text
________________ પૃથ્વીને ઈતિહાસ રિતીકંપને લીધે પહાડે અને ટેકરી ઉપરથી છૂટા થયેલા લપત્યરે અને મોટા ખડકે નીચે ગબડી પડે છે. જમીનના સ્તરે - તૂટી જઈ એક બીજા ઉપર સરી જાય છે, જેથી એ પ્રદેશના છપાણીના માર્ગો બદલાય છેટાં મોટાં ઝાડ ઉપડી જઈ જમીનમાં દટાઈ જાય છે. કેટલીક વાર જમીનમાં પડેલા ચીરા એટલા વિશાળ હોય છે કે કાયમનું નદી કે કાતરનું સ્વરૂપ લે છે. મીસીસીપીની ખીણમાં ૧૮૧૧-૧૨ના ધરતીકંપ વખતે આમ બન્યું હતું. જાપાનમાં ૧૮૯૧ના ધરતીકંપ વખતે એકપ મેદાનના બે ભાગ થઈ ગયા હતા એટલું જ નહીં પરંતુ એક બાજુને ભાગ બીજા કરતાં કાયમને માટે ઊંચી સપાટીને થઈ ગયો હતો. ધરતીકંપને લીધે કેટલીક વખતેઉઝરાઓ મેટા અગર નાના બની જાય છે અને એમાંથી નીકળતા પાણીમાં પણ ઘણી વાર રૂપાન્તર થઈ જાય છે. કેટલીક વાર નદીના પટ મધ્યમાં સુકાઈ જાય છે અને પાણી ભીતરના માર્ગે આગળ વધે છે. ધરતીકંપના કેન્દ્રથી સેંકડો માઈલ દૂર હોવા છતસરોવરના પાણીમાં મોટાં આંદોલન ઉત્પન્ન થાય છે, અને એ કેટલાએ કલાક સુધી ચાલુ રહે છે. કેટલીક વાર (ઈસરોવરો એકાએક શુષ્ક પણ થઈ ગયાં છે અને કેટલીક સપાટ જમીનમાં ખાડા પડી કાયમનાં સરેવર બની ગયા છે. કેટલેક ઠેકાણે નદીના પ્રવાહ ધરતીકંપથી તૂટી પડેલા કરાડાને લીધે માર્ગ પરિવર્તન કરે છે, એને કેઈક વાર માર્ગ ન મળવાથી એ કાયમનાં સરેવર બની જાય છે. સમુદ્રમાં ઉદ્દભવેલા જવાળામુખી મોટાં મોજાં ઉત્પન્ન કરે છે, અને એ કિનારા ઉપર પહોંચતાં ઘણું નુકસાન કરે છે. જો કિનારો નીચે હોય તે આસપાસના પ્રદેશમાં એ મોજાં ફરી વળે છે અને ત્યાંની ફળદ્રુપ જમીન ઉપર રેતી અને કાંકરીને થર પાથરી દે છે. (ધરતીકંપથી મેટે ભાગે જમીનનું સમતળ (level) બદલાય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035217
Book TitlePruthvino Itihas
Original Sutra AuthorN/A
AuthorYashwant Gulabbhai Nayak
PublisherFarbas Gujarati Sabha
Publication Year1936
Total Pages140
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy