Book Title: Pratikraman Sutra Sachitra
Author(s): Bhuvanbhanusuri
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 16
________________ યુગો સુધી ઝળહળશે ભુવનભાનુના અજવાળા વીસમી સદીના જિનશાસનના ગગનમાં સૂર્યની જેવું ચમકતું અને ચળકતું વ્યક્તિત્વ હતું, ૫.પૂ. સકલસંઘહિતચિંતક શાસન સેવાના અનેક કાર્યોના આદ્ય પ્રણેતા, તપ-ત્યાગ-તિતિક્ષામૂર્તિ આચાર્યદેવ શ્રીમદ્ વિજયભુવનભાનુસૂરીશ્વરજી મહારાજાનું. સૂર્ય જેમ પોતાના પ્રકાશથી ગગનમંડલને દેદિપ્યમાન બનાવી અંધકાર અને ક્ષુદ્રજંતુઓથી રહિત બનાવી દે છે તેમ પોતાની ભક્તિ-વિરક્તિ અને બુદ્ધિથી સમગ્ર જિનશાસનની કાયાપલટ કરી દેનાર, હજારો જીવોને અજ્ઞાનનું અંધારૂં અને મિથ્યાત્વ-મોહાદિરૂપ ક્ષુદ્ર જંતુઓને દૂર કરી આત્મશુદ્ધિ અને આત્મસિદ્ધિના સોપાનો ચડાવનાર ચોથા આરાની વાનગીસમા પૂજ્યશ્રી સ્વનામને સાર્થક કરતા હતા. એક કવિએ એક જગ્યાએ લખ્યું છે કે-મેં ઇસ ખુદા કી તલાશ મેં હૂં મેરે યારો, જો ખુદા હોતે હુએ ભી અપના સા લાગે... આ પંક્તિઓને સ્હેજ ફેરવીને કહેવું હોય તો કહી શકાય- મેં એસે ગુરૂ કો પા ચૂકા હૂં મેરે યારો, જો અપના સા હોતે હુએ ભી ખુદા સા લગે. સાચેજ આપણા જેવું જ શરી૨ અને બાહ્ય શક્તિ મળવા છતાં છોટી સી જિંદગાનીમાં જે શાસનના વિરાટ કાર્યો કર્યા છે, જે અકલ્પનીય સાધના માર્ગોનું ખેડાણ કર્યું છે, જે કુસંસ્કારો સામે સંઘર્ષ ખેલી તેઓને પરાસ્ત કરી આત્મશુદ્ધિ પ્રાપ્ત કરી છે તે જોતાં એવું જ લાગે કે શું વસમી ગણાતી વીસમી સદીમાં આવું ચારિત્ર, આવું સત્વ, આવો પ્રચંડ પુરૂષાર્થ, આવી સાધના શક્ય છે ? શું આ મહાપુરૂષે અમારી વચ્ચે આવીને જ મુઠ્ઠી ઉંચેરૂં નહીં, ગગન ઉંચેરૂં વ્યક્તિત્વ વિકસાવ્યું હશે ! શું આ માનવ હશે, મહામાનવ હશે કે પરમમાનવ ! પૂજ્યશ્રીના વ્યક્તિત્ત્વને સંપૂર્ણપણે ઉપસાવવું એ તો અતિમુશ્કેલ કે અસંભવપ્રાયઃ છે જ, પરંતુ આંશિકપણે ઉપસાવવા પણ ગ્રંથોના ગ્રંથો નાના પડે, એટલે ચાલો, જીવન યાત્રાના કેટલાક માઇલ સ્ટોનોનું ઉપરછલ્લું માત્ર દિગ્દર્શન કરી લઇએ... સંસારી નામ : કાંતિભાઇ છ માતાજી : ભૂરીબહેન ૭ પિતાજી : ચિમનભાઇ જન્મ : ચૈત્ર વદ ૬, વિ. સં. ૧૯૬૭, તા. ૧૯-૪-૧૯૧૧-અમદાવાદ ૭ વ્યાવહારિક અભ્યાસ : G.D.A. - C.A. સમકક્ષ દીક્ષા : સંવત ૧૯૯૧, પોષ સુદ ૧૨, તા. ૧૬-૧૨-૧૯૩૪ ચાણસ્મા નાનાભાઇ પોપટભાઇની સાથે. વડી દીક્ષા : સંવત ૧૯૯૧, મહા સુદ ૧૦ ચાણસ્મા, પ્રથમ શિષ્ય : પૂ. મુનિરાજશ્રી પદ્મવિજયજી મ. (પાછળથી પંન્યાસ) ગુરૂદેવશ્રી : સિદ્ધાન્ત મહોદધિ ૫.પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજયપ્રેમસૂરીશ્વરજી મ.સા. ગણિપદ : સં. ૨૦૧૨, ફાગણ સુદ ૧૧, તા. ૨૨-૨-૧૯૫૬, પૂના પંન્યાસપદ : સં. ૨૦૧૫, વૈશાખ સુદ ૬, તા. ૨-૫-૧૯૫૯, સુરેન્દ્રનગર આચાર્યપદ : સં. ૨૦૨૯, માગસર સુદ ૨, તા. ૭-૧૨-૧૯૭૨, અમદાવાદ. ૧૦૦ ઓળીની પૂર્ણાહુતિ : સં. ૨૦૨૬, આસો સુદ ૧૫, તા. ૧૪-૧૦-૧૯૭૦, કલકત્તા. ૧૦૮ ઓળીની પૂર્ણાહુતિ : સં. ૨૦૩૫, ફાગણ વદ ૧૩, તા. ૨૫-૩-૧૯૭૯, મુંબઇ. સુપ્રસિદ્ધ વિશિષ્ટ ગુણો ઃ આજીવન ગુરૂકુલવાસ સેવન, સંયમ શુદ્ધિ, ઉછળતો વૈરાગ્ય, પરમાત્મભક્તિ, વિશુદ્ધ ક્રિયા, અપ્રમત્તતા, જ્ઞાનમગ્નતા, તપ-ત્યાગ-તિતિક્ષા, સંઘવાત્સલ્ય, શ્રમણ ઘડતર, તીક્ષ્ણ-શાસ્ત્રાનુસારી પ્રજ્ઞા. શાસનોપયોગી અતિવિશિષ્ટ કાર્યો : ધાર્મિક શિક્ષણ શિબિર દ્વારા યુવાજનોદ્ધારનો પ્રારંભ, વિશિષ્ટ અધ્યાપન-પદાર્થ સંગ્રહ શૈલીનો વિકાસ, તત્ત્વજ્ઞાન-જીવનચરિત્રોને લોકમાનસમાં દૃઢ બનાવવા દ્રશ્ય માધ્યમ (ચિત્રો)નો ઉપયોગ, બાલ-દીક્ષા પ્રતિબંધક બિલનો વિરોધ, કતલખાનાને તાળા લગાવ્યા, ૪૨ વર્ષ સુધી દિવ્યદર્શન સાપ્તાહિકના માધ્યમે જિનવચન-પ્રસાર, સંઘ-એકતા માટેનો પ્રચંડ પુરૂષાર્થ, અનેકાંતવાદ સામેના આક્રમણો સામે સંઘર્ષ, ચારિત્ર શુદ્ધિનો યજ્ઞ, અમલનેરમાં ૨૭ દીક્ષા, મલાડમાં ૧૬ દીક્ષા આદિ ૪૦૦ જેટલી સ્વહસ્તે દીક્ષા પ્રદાન, આયંબિલના તપને વ્યાપક પ્રસિદ્ધિ... કલાત્મક સર્જન : જૈન ચિત્રાવલી, મહાવીર ચરિત્ર, પ્રતિક્રમણ-સૂત્ર-ચિત્ર આલ્બમ, ગુજરાતી-હિન્દી બાલપોથી, મહાપુરૂષોના જીવનચરિત્રના ૧૨ અને ૧૮ ફોટાના બે સેટ, કલિકાલસર્વજ્ઞ હેમચન્દ્રસૂરિ મ. ના જીવન ચિત્રોનો સેટ, બામણવાડજીમાં ભગવાન મહાવીર ચિત્ર ગેલેરી, પિંડવાડામાં પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજયપ્રેમસૂરીશ્વરજી મ.સા.ના જીવન ચિત્રો, થાણા-મુનિસુવ્રત સ્વામિ જિનાલયમાં શ્રીપાળ-મયણાના જીવન ચિત્રો આદિ... પ્રિય બાબતો : શાસ્ત્ર-સ્વાધ્યાય ઘોષ, સાધુ-વાચના, અષ્ટાપદ પૂજામાં મગ્નતા, સ્તવનોના રહસ્યાર્થની પ્રાપ્તિ, દેવદ્રવ્યાદિની શુદ્ધિ, ચાંદનીમાં લેખન, માંદગીમાં પણ ઊભા-ઊભા ઉપયોગપૂર્વક પ્રતિક્રમણાદિ ક્રિયાઓ, સંયમ જીવનની પ્રેરણા, આશ્રિતો પાસે સંસ્કૃતપ્રાકૃત ગ્રંથોનું વિવેચન. તપસાધના : વર્ધમાનતપની ૧૦૮ ઓળી, છઠ્ઠના પારણે છઠ્ઠ, પર્વતિથિએ છઠ્ઠ, ઉપવાસ, આયંબિલ આદિ, ફ્રૂટ, મેવો, મિષ્ટાન્ન આદિનો જીવનભર ત્યાગ... ચારિત્ર પર્યાય : ૫૮ વર્ષ, આચાર્યપદ પર્યાય : ૨૦ વર્ષ, કુલ આયુષ્ય : ૮૨ વર્ષ, કુલ પુસ્તકો : ૧૧૪ થી વધુ સ્વ હસ્તે દીક્ષાપ્રદાન : ૪૦૦ થી વધુ, સ્વહસ્તે પ્રતિષ્ઠા : ૨૦, સ્વનિશ્રામાં ઉપધાન : ૨૦, સ્વહસ્તે અંજનશલાકા : ૧૨ ફુલશિષ્ય-પ્રશિષ્ય આજ્ઞાવર્તી પરિવાર : ૩૫૦ કાળધર્મ : સં. ૨૦૪૯ ચૈત્ર વદ ૧૩, તા. ૧૯-૪-૧૯૯૩, અમદાવાદ. の Use Only

Loading...

Page Navigation
1 ... 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124