Book Title: Pragnapana Sutra Part 01
Author(s): Munichandrasuri, Jayanandvijay
Publisher: Guru Ramchandra Prakashan Samiti

View full book text
Previous | Next

Page 477
________________ श्री प्रज्ञापना सूत्र भाग १ भाषापद परिशिष्ट અને દોષરહિત પદાર્થને વિષે હોય છે. લિંગ-વેશમાં ગુણ અને દોષ બન્ને હોય છે અને પ્રતિમામાં બન્ને નથી. માટે તેથી ભિન્ન દ્રવ્યમાં તેના આકારની કલ્પના તે સ્થાપના. અને કેવળ રૂપ-વેશ તો તે જાતનું કુટ દ્રવ્ય છે એ વિશેષતા જાણવી. ૬. પ્રતીત્યસત્ય-વિરોધ સિવાય પ્રતીત્ય ભાવ-સાપેક્ષ પદાર્થનો ઉપદેશ કરનારી ભાષા પ્રતીત્યસત્ય કહેવાય છે. જેમકે અપેક્ષાએ એક ફળ વિગેરે નાનું પણ છે અને મોટું પણ હોય છે. વળી અનામિકા આંગળી મધ્ય આંગળીની અપેક્ષાએ નાની હોય છે અને કનિષ્ઠાની અપેક્ષાએ મોટી હોય છે. આ અણુત્વ અને મહત્વાદિ પરસ્પર વિરુદ્ધ નથી, કારણ કે સત્તાસત્ત્વની પેઠે ભિન્ન ભિન્ન નિમિત્તસાપેક્ષ છે અને તે નિમિત્ત અનેક પ્રકારના હોય છે. ૭. વ્યવહાર સત્ય-વ્યવહાર એટલે લોકની વિવફા, તે વડે જેનો પ્રયોગ થાય તે વ્યવહારસત્ય. જેમકે નદી પીવાય છે, પર્વત બળે છે. અહીં નદી પીવાય છે એટલે નદીનું પાણી પીવાય છે, પર્વત બળે છે. એટલે પર્વતમાં રહેલું ઘાસ બળે છે. અહીં પર્વત અને તૃણાદિના અભેદના કથનથી મૃષાવાદિપણાનો પ્રસંગે ઉપસ્થિત થશે એમ ન જાણવું, કારણ કે અહીં વ્યાવહારિક અભેદનો આશ્રય કરેલો હોવાથી તેમાં દોષ નથી. લોકની વિવક્ષાનું ગ્રહણ હોવાથી રૂપસત્યાદિમાં અતિવ્યાપ્તિનો પ્રસંગ નથી. એ પ્રમાણે આમલકી વગેરેમાં એકેન્દ્રિય હોવાથી નપુંસક છતાં પણ સ્ત્રી વગેરેની અભેદ વિવક્ષા વડે સ્ત્રીલિંગાદિનું પ્રતિપાદન પણ વ્યવહાર સત્ય જ છે. ૮. ભાવસત્ય-સદ્ વસ્તુના અભિપ્રાયપૂર્વક કહેલી ભાષા તે ભાવસત્ય. જેમકે “આ ઘટ છે, બગલો ધોળો છે'. વાસ્તવિક ઘટનો બોધ કરવાના અભિપ્રાયથી ઘટપદનો પ્રયોગ કરેલો છે. અથવા બગલામાં પાંચ વર્ણનો સંભવ છે તો પણ શુક્લવર્ણનું કથન ઉત્કટ શુક્લવર્ણ બતાવવા માટે છે, અહીં એમ ન કહેવું કે આ બીજા ઉદાહરણનો વ્યવહાર સત્યમાં સમાવેશ થાય છે, કારણ કે વ્યવહાર સત્ય લોકવિવક્ષાને અધીન છે. ૯. યોગસત્ય-જ્યાં વસ્તુના યોગે ઉપચાર થાય તે યોગસત્ય. અતીત કાળે સંબન્ધવાળા લાક્ષણિક પદયુક્ત ભાષા યોગસત્ય કહેવાય છે. જેમકે વર્તમાન કાળ છત્રાદિનો અભાવ હોવા છતાં અતીત કાળ છત્રાદિના સંબન્ધથી છત્રી-છત્રવાળો, કુંડલી-કુંડલવાળો અને દંડી કહેવાય છે. ૧૦. ઉપમા સત્યઉપમાન એટલે જ્ઞાત, ઉદાહરણ, નિદર્શન અને દૃષ્ટાંત એ સમાનાર્થક છે, તે વડે સત્ય તે ઉપમાન સત્ય. તે ઉપમાન બે પ્રકારે છે-ચરિત અને કલ્પિત. ચરિત-પારમાર્થિક, જેમકે મહારંભવાળો બ્રહ્મદત્તની પેઠે દુઃખ પામે છે. કલ્પિત-પોતાની બુદ્ધિની કલ્પના વડે રચેલું. જેમકે અનિત્યતામાં પીપળના પાનનું ઉદાહરણ. કલ્પિત પણ રૂપકની પેઠે તાત્પર્યનો બાધ થતો ન હોવાથી નિરર્થક નથી. એ પ્રમાણે સદ્ ઉપમાનવાચક પદ વડે ઘટિત ભાષા ઉપમાનસત્ય છે. “ચન્દ્રમુખી' ઇત્યાદિ દેશોપમામાં સંભવિત પ્રસન્નતાદિ ધર્મોનું ગ્રહણ હોવાથી દોષ નથી. . એ પ્રમાણે દસ પ્રકારની સત્ય ભાષાનું પ્રજ્ઞાપનાદિ સૂત્રને અનુસાર વર્ણન કર્યું, હવે અસત્ય ભાષાનું નિરૂપણ કરે છેસત્યથી વિપરીત હોય તે અસત્ય. અહીં ચરિત ઉપમાનાદિમાં અતિવ્યાપ્તિ થશે એમ ન કહેવું, કારણ કે યથાર્થ તાત્પર્યના બાધ વડે જે વચન હોય તે અસત્ય છે. ચરિત અને કલ્પિત ઉપમાનાદિમાં તાત્પર્યનો બાધ નહિ હોવાથી અતિવ્યાપ્તિ નથી. અથવા વિરાધની ભાષા તે અસત્ય ભાષા કહેવાય છે. અહીં વિરાધકપણું સદ્ભૂત અર્થના પ્રતિષેધાદિ વડે જાણવું. ' અસત્ય ભાષા ચાર પ્રકારે છે. દ્રવ્યથી સર્વ દ્રવ્યો સંબધે, ક્ષેત્રથી લોક અને અલોક સંબન્ધ, કાળથી દિવસે અથવા રાત્રે અને ભાવથી ક્રોધ, લોભ, ભય અને હાસ્યથી અસત્ય બોલવું. અહીં એકના ગ્રહણથી તેની જાતિનું ગ્રહણ થતું હોવાને લીધે ક્રોધના ગ્રહણથી માનનું ગ્રહણ, લોભના ગ્રહણથી માયાનું ગ્રહણ અને ભય અને હાસ્યના ગ્રહણથી પ્રેમ, દ્વેષ, કલહ અને અભ્યાખ્યાનાદિનું ગ્રહણ જાણવું એવો વૃદ્ધ આચાર્યોનો સંપ્રદાય છે. અથવા તો ક્રોધ નિશ્રિતાદિ દસ ભેદો ભાવ અસત્યાના જ છે. અહીં અસત્યાના સંબન્ધ દ્રવ્ય અને ભાવના સંયોગે વિધિ અને પ્રતિષેધ વડે ચઉભંગી જાણવી. ૧ દ્રવ્યથી મૃષાવાદ છે અને ભાવથી નથી. જેમકે કોઈ શીકારી પૂછે કે ‘તે પશુ મૃગ વગેરે જોયા? ત્યારે તેને કહે કે “મે જોયા નથી'. એ દ્રવ્યથી મૃષાવાદ 400

Loading...

Page Navigation
1 ... 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532 533 534 535 536 537 538 539 540 541 542 543 544 545 546 547 548 549 550 551 552 553 554