Book Title: Pragnapana Sutra Part 01
Author(s): Munichandrasuri, Jayanandvijay
Publisher: Guru Ramchandra Prakashan Samiti

View full book text
Previous | Next

Page 524
________________ पन्नरसं इंदियपयं पढमो उद्देसो विसयदारं श्री प्रज्ञापना सूत्र भाग १ |વિરસથવારે || सोतिन्दियस्स णं भंते! केवतिए विसर पण्णत्ते? गोयमा! जहण्णेणं अंगुलस्स असंखेज्जतिभागो, उक्कोसेणं बारसहिं जोअणेहिन्तो अच्छिण्णे पोग्गले पुढे पविद्वातिं सद्दातिं सुणेति। चक्खिन्दियस्सणं भते! केवतिए विसए पन्नत्ते? गोयमा! जहण्णेणं अंगुलस्ससंखेज्जतिभागो', उक्कोसेणंसातिरेगाओ जोयणसतसहस्साओ अच्छिण्णे पोग्गले अपुढे अपविट्ठातिरूवाई पासइ। घाणिन्दियस्स पुच्छा। गोयमा!जहण्णेणं अंगुलस्सअसंखेज्जतिभागो, उक्कोसेणं णवहिं जोयणेहिन्तो अच्छिण्णे पोग्गले पुढे पविद्वातिं गंधाति अग्घाइ, एवं जिब्भिन्दियस्स वि સિવિયત્ત વિ તૂ૦-૨૪૪૨ (મૂળ) હે ભગવન્! શ્રોત્રેન્દ્રિયનો કેટલો વિષય છે? હે ગૌતમ! જઘન્યથી અંગુલનો અસંખ્યાતમો ભાગ અને ઉત્કૃષ્ટથી બાર યોજનથી આવેલા અછિન્ન (અન્ય શબ્દાદિ કે વાતાદિથી નહિ છેદાયેલા, સામર્થ્યવાળા) પુદ્ગલરૂપ પ્રવિષ્ટ શબ્દોને સાંભળે છે. હે ભગવન્! ચહ્યુઇન્દ્રિયનો કેટલો વિષય છે? હે ગૌતમ! જઘન્ય અંગુલનો સંખ્યાતમો ભાગ અને ઉત્કૃષ્ટથી કંઇક અધિક લાખ યોજન અછિન્ન પુદ્ગલરૂપ અસ્પષ્ટ અને અપ્રવિષ્ટ રૂપને જુએ છે. ધ્રાણેન્દ્રિયનો કેટલો વિષય છે? હે ગૌતમ! જઘન્ય અંગુલનો અસંખ્યાતમો ભાગ અને ઉત્કૃષ્ટથી નવ યોજનથી આવેલા અછિન્ન પુદ્ગલરૂપ સ્કૃષ્ટ અને પ્રવિષ્ટ ગંધને સુંઘે છે. એ પ્રમાણે જિન્દ્રિય અને સ્પર્શનેન્દ્રિય સંબંધે જાણવું. ૧૪ll૪૩૮ (ટી.) હવે ઇન્દ્રિયોના વિષયનું પરિમાણ કહે છે– સોવિયત | પં! કેવફા વિલણ પૂન?–હે ભગવન! શ્રોત્રેન્દ્રિયનો કેટલો વિષય છે-ઇત્યાદિ. અહીં શ્રોત્ર વગેરે ઇન્દ્રિયો પ્રાપ્ત વિષયને ગ્રહણ કરતી હોવાથી અંગુલના અસંખ્યાતમા ભાગથી પણ આવેલા શબ્દને સાંભળે છે, નેત્ર અપ્રાપ્તકારી-અપ્રાપ્ત વિષયને જાણે છે, તેથી તે જઘન્યથી અંગુલના સંખ્યામાં ભાગ જેટલા દૂર રહેલા વિષયને જુએ છે. તાત્પર્ય એ છે કે નેત્ર જઘન્યથી અંગુલના સંખ્યામાં ભાગપ્રમાણ દૂર રહેલા વિષયને જાણે છે, પણ તેથી નજીકના વિષયને જાણતી નથી. આ વાત દરેક પ્રાણીને વિદિત છે. તેથી અત્યંત નજીકમાં રહેલા અંજન, રજ અને નેત્રના મળને ચલ જોઇ શકતી નથી, કહ્યું છે કે “ગવરમiiતમારતો નિયવિજ્ઞાન સંન્નેમાનો નયસ' નેત્ર સિવાય બાકીની ઇન્દ્રિયોનો વિષય જઘન્યથી અંગુલનો અસંખ્યાતમો ભાગ છે અને નેત્રનો અંગુલનો સંખ્યાતમો ભાગ છે. ઉત્કૃષ્ટથી શ્રોત્રેન્દ્રિય બાર યોજનથી આવેલા અછિન્ન-નહિ છેદાયેલા, અવ્યવહિત, અન્ય શબ્દો વડે અથવા વાયુ વગેરેથી જેની શક્તિ હણાઈ નથી એવા પુદ્ગલોને સાંભળે છે. આ કથન વડે ‘શબ્દ પૌદ્ગલિક છે, પણ “આકાશનો ગુણ નથી' એમ પ્રતિપાદન કર્યું.” “શબ્દ પૌદ્ગલિક છે એ બાબત તત્ત્વાર્થટીકામાં સિદ્ધ કરી છે તેથી અહીં ફરી તેનો વિસ્તાર કરતા નથી. સૃષ્ટમાત્ર-શરીરમાં લાગેલી ધૂળની પેઠે સ્પર્શમાત્રને પ્રાપ્ત થયેલાં અને પ્રવિષ્ટ-નિવૃત્તિ ઈન્દ્રિયમાં પ્રવેશેલા શબ્દોને સાંભળે છે, પણ બાર યોજનની આગળથી આવેલા શબ્દોને સાંભળતી નથી. કારણ કે આગળથી આવેલા શબ્દોનો મદ પરિણામ થાય છે. તે આ પ્રમાણે-બાર યોજનથી આગળ આવેલા શબ્દ પુદ્ગલો તથાસ્વભાવથી તેવા પ્રકારના મન્દપરિણામવાળા થાય છે કે જેથી પોતાના વિષયનું શ્રોત્રજ્ઞાન ઉત્પન્ન કરવાને સમર્થ થતા નથી. શ્રોત્રેન્દ્રિયનું પણ તેવા પ્રકારનું વધારે અદ્ભુત બલ નથી, જેથી આગળથી આવેલા શબ્દોને સાંભળે. ચક્ષુઇન્દ્રિય વધારેમાં વધારે કંઇક અધિક લાખ યોજનથી આરંભી અછિન્ન-કટકુટી–ઘાસની ઝુંપડી વગેરેથી અવ્યવહિત-અન્તર રહિત, અસ્પષ્ટ-દૂર રહેલા અને એજ કારણથી અપ્રવિષ્ટ પુગલસ્વરૂપ રૂપને જુએ છે. કારણ કે તેથી આગળ અવ્યવહિત (કોઈ પણ વસ્તુનું વચ્ચે અત્તર ન હોય એવું) રૂપ હોય તો પણ તેને જોવામાં ચક્ષુઈન્દ્રિયની શક્તિ નથી. [અહીં અંગુલ ત્રણ પ્રકારનો છે. તે આ પ્રમાણે-આત્માંગુલ, ઉત્સધાંગુલ અને પ્રમાણાંગુલ. તેમાં ‘જે મનુષ્યો જે કાળે હોય ત્યારે તેઓનું માન-પ્રમાણ રૂપ જે અંગુલ તે આત્માંગુલી અને ૧. અસંહેન્નતિમા - પાઠાન્તર 447

Loading...

Page Navigation
1 ... 522 523 524 525 526 527 528 529 530 531 532 533 534 535 536 537 538 539 540 541 542 543 544 545 546 547 548 549 550 551 552 553 554