Book Title: Pragnapana Sutra Part 01
Author(s): Munichandrasuri, Jayanandvijay
Publisher: Guru Ramchandra Prakashan Samiti

View full book text
Previous | Next

Page 549
________________ श्री प्रज्ञापना- सूत्र भाग १ पन्नरसं इंदियपयं बीओ उद्देसो दव्विंदियदारं કાળે હોય? હે ગૌતમ! અસંખ્યાતી હોય. કેટલી ભવિષ્યમાં થવાની હોય? હે ગૌતમ! અનન્ત થવાની હોય. હે ભગવન્! નૈયિકોને અસુરકુમારપણામાં કેટલી દ્રવ્યેન્દ્રિયો અતીત કાળે હોય? હે ગૌતમ! અનન્ત હોય. કેટલી વર્તમાન કાળે હોય? હે ગૌતમ! ન હોય. કેટલી ભવિષ્યમાં થવાની હોય? હે ગૌતમ! અનન્ત થવાની હોય. એ પ્રમાણે યાવત્ ત્રૈવેયકદેવપણામાં જાણવું. હે ભગવન્! નૈરયિકોને વિજય, વૈજયન્ત, જયન્ત અને અપરાજિત દેવપણામાં કેટલી દ્રવ્યેન્દ્રિયો અતીત કાળે હોય? ન હોય. કેટલી વર્તમાન કાળે હોય? ન હોય. કેટલી ભવિષ્યમાં થવાની હોય? અસંખ્યાતી હોય. એ પ્રમાણે સર્વાર્થસિદ્ધદેવપણામાં પણ જાણવું. એમ યાવત્ પંચેન્દ્રિય તિર્યંચયોનિકો સર્વાર્થસિદ્ધદેવપણામાં કહેવા. પરંતુ વનસ્પતિકાયિકોને વિજય, વૈજયન્ત, જયન્ત અને અપરાજિતદેવપણામાં તથા સર્વાર્થસિદ્ધ દેવપણામાં ભવિષ્યમાં થવાની દ્રવ્યન્દ્રિયો અનંત હોય. મનુષ્ય અને સર્વાર્થસિદ્ધ સિવાય બધાને સ્વસ્થાનને આશ્રયી બદ્ધ— વર્તમાન દ્રવ્યન્દ્રિયો અસંખ્યાતી હોય. પરસ્થાનને આશ્રયી વર્તમાન કાળે દ્રવ્યેન્દ્રિયો ન હોય. વનસ્પતિકાયિકોને બદ્ધ–વર્તમાન દ્રવ્યેન્દ્રિયો અનન્ત છે. મનુષ્યોને નૈરયિકપણામાં દ્રવ્યેન્દ્રિયો અતીત કાળે અનંત હોય. વર્તમાન કાળે નથી, અને ભવિષ્યમાં થવાની અનન્ત હોય. એ પ્રમાણે યાવત્ પ્રૈવેયકદેવપણામાં જાણવું. પરંતુ સ્વસ્થાનમાં દ્રવ્યેન્દ્રિયો અતીત કાળે અનન્ત હોય. વર્તમાન કાળે કદાચ સંખ્યાતી હોય અને કદાચ અસંખ્યાતી હોય, અને ભવિષ્યમાં થવાની અનંત હોય. હે ભગવન્! મનુષ્યોને વિજય, વૈજયન્ત, જયન્ત અને અપરાજિતદેવપણામાં કેટલી દ્રવ્યેન્દ્રિયો અતીત કાળે હોય? સંખ્યાતી હોય. કેટલી વર્તમાન કાળે હોય? નથી. કેટલી ભવિષ્યમાં થવાની હોય? કદાચિત્ સંખ્યાતી હોય અને કદાચિત્ અસંખ્યાતી હોય. એ પ્રમાણે સર્વાર્થસિદ્ધદેવપણામાં દ્રવ્યેન્દ્રિયો અતીત કાળે ન હોય, વર્તમાનકાળે ન હોય, અને ભવિષ્યમાં થવાની અસંખ્યાતી હોય. એ પ્રમાણે યાવત્ ત્રૈવેયક દેવો સુધી જાણવું. હે ભગવન્! વિજય, વૈજયન્ત જયન્ત અને અપરાજિતદેવોને નારકપણામાં કેટલી દ્રવ્યેન્દ્રિયો અતીત કાળે હોય? હે ગૌતમ! અનન્ત હોય. કેટલી વર્તમાન કાળે હોય? ન હોય. કેટલી ભવિષ્ય કાળમાં થવાની હોય? ન હોય. એ પ્રમાણે યાવત્ જ્યોતિષિકદેવપણામાં પણ જાણવું. પરંતુ મનુષ્યપણામાં દ્રવ્યેન્દ્રિયો અતીત કાળે અનન્ત હોય. વર્તમાન કાળે કેટલી હોય? ન હોય. ભવિષ્યમાં થવાની કેટલી હોય? અસંખ્યાતી હોય. એ પ્રમાણે યાવત્ પ્રૈવેયકદેવપણામાં સ્વસ્થાનની અપેક્ષાએ અતીત કાળે અસંખ્યાતી હોય. કેટલી વર્તમાન કાળે હોય? અસંખ્યાતી હોય. કેટલી ભવિષ્યમાં થવાની હોય? અસંખ્યાતી હોય. સર્વાર્થસિદ્ધદેવપણામાં દ્રવ્યેન્દ્રિયો અતીત કાળે ન હોય, વર્તમાન કાળે ન હોય અને ભવિષ્યમાં થવાની અસંખ્યાતી હોય. હે ભગવન્! સર્વાર્થસિદ્ધદેવોને ના૨કપણામાં કેટલી દ્રવ્યેન્દ્રિયો અતીત કાળે હોય? હે ગૌતમ! અનન્ત હોય. કેટલી વર્તમાન કાળે હોય? ન હોય. કેટલી ભવિષ્યમાં થવાની હોય? ન હોય. એ પ્રમાણે મનુષ્ય સિવાય યાવત્ ત્રૈવેયકદેવપણામાં જાણવું. મનુષ્યપણામાં દ્રવ્યેન્દ્રિયો અતીત કાળે અનન્ત હોય, વર્તમાન કાળું ન હોય, અને ભવિષ્યમાં થવાની અસંખ્યાતી હોય. વિજય, વૈજયન્ત, જયન્ત અને અપરાજિતદેવપણામાં કેટલી દ્રવ્યેન્દ્રિયો અતીત કાળે હોય? સંખ્યાતી હોય. કેટલી વર્તમાન કાળે હોય? ન હોય. કેટલી ભવિષ્યમાં થવાની હોય? ન હોય. હે ભગવન્! સર્વાર્થસિદ્ધ દેવોને સર્વાર્થસિદ્ધદેવપણામાં કેટલી દ્રવ્યેન્દ્રિયો અતીત કાળે હોય? ન હોય. કેટલી વર્તમાન કાળે હોય? સંખ્યાતી હોય, કેટલી ભવિષ્યમાં થવાની હોય? ન હોય. I૩૩૪/૪૫૭॥ कति णं भंते! भाविंदिया पन्नत्ता ? गोयमा ! पंच भाविंदिया पन्नत्ता, तं जहा- सोतिंदिए, जाव फासिंदिए । नेरइयाणं ભંતે! તિ માવિલિયા પન્નત્તા?ોયમા! પંચ માવિલિયા પન્નત્તા, તં નહા-સોતિત્તેિ, નાવ ાન્નિતિ વં નસ્સ ज इंदिया तस्स तइ भाणितव्वा, जाव वेमाणियाणं। एगमेगस्स णं भंते! नेरइयस्स केवइया भाविंदिया अतीता? गोयमा! अनंता, केवइया बद्धेल्लगा? पंच, केवइया पुरेक्खडा ? पंच वा दस वा एक्कारस वा संखेज्जा वा असंखेज्जा वा अणंता वा । एवं असुरकुमारस्स वि, नवरं पुरेक्खडा पंच वा छ वा संखेज्जा वा असंखेज्जा वा 472

Loading...

Page Navigation
1 ... 547 548 549 550 551 552 553 554