Book Title: Pragnapana Sutra Part 01
Author(s): Munichandrasuri, Jayanandvijay
Publisher: Guru Ramchandra Prakashan Samiti

View full book text
Previous | Next

Page 518
________________ पन्नरसं इंदियपयं पढमो उद्देसो कतिपयदारं- ओगाढदारं- अप्पाबहुदारं श्री प्रज्ञापना सूत्र भाग १ (મૂળ) હે ભગવન્! એ શ્રોત્રેન્દ્રિય, ચક્ષુઇન્દ્રિય, ઘ્રાણેન્દ્રિય, જિલ્લેન્દ્રિય, અને સ્પર્શનેન્દ્રિયોમાં અવગાહનાર્થરૂપે, પ્રદેશાર્થરૂપે અને અવગાહના તથા પ્રદેશાર્થરૂપે કોણ કોનાથી અલ્પ, બહુ, તુલ્ય કે વિશેષાધિક છે? હે ગૌતમ! સૌથી થોડી ચક્ષુઇન્દ્રિય અવગાહનારૂપે છે–એટલે કે ચક્ષુઇન્દ્રિયની અવગાહના સૌથી થોડી છે, તેથી શ્રોત્રેન્દ્રિય અવગાહનારૂપે સંખ્યાતગુણ છે. તેથી ઘ્રાણેન્દ્રિય અવગાહનારૂપે સંખ્યાતગુણ છે, તેથી જિહ્મેન્દ્રિય અવગાહનારૂપે અસંખ્યાતગુણ છે, તેથી સ્પર્શનેન્દ્રિય અવગાહનારૂપે સંખ્યાતગુણ છે. પ્રદેશાર્થરૂપે સૌથી થોડી ચક્ષુઇન્દ્રિય છે. અર્થાત્ ચક્ષુઇન્દ્રિયના પ્રદેશો સૌથી થોડા છે. તેથી શ્રોત્રન્દ્રિય પ્રદેશાર્થરૂપે સંખ્યાતગુણ છે, તેથી ઘ્રાણેન્દ્રિય પ્રદેશરૂપે સંખ્યાતગુણ છે, તેથી જિલ્વેન્દ્રિય પ્રદેશરૂપે અસંખ્યાતગુણ છે, તેથી સ્પર્શનેન્દ્રિય પ્રદેશરૂપે સંખ્યાતગુણ છે. અવગાહના અને પ્રદેશરૂપે– સૌથી થોડી ચક્ષુઇન્દ્રિય અવગાહનારૂપે છે એટલે તેની અવગાહના સૌથી થોડા પ્રદેશવાળી છે. તેથી શ્રોત્રેન્દ્રિય અવગાહનારૂપે સંખ્યાતગુણ છે, તેથી ઘ્રાણેન્દ્રિય અવગાહનારૂપે સંખ્યાતગુણ છે, તેથી જિલ્વેન્દ્રિય અવગાહનારૂપે અસંખ્યાતગુણ છે, તેથી સ્પર્શનેન્દ્રિય અવગાહનારૂપે સંખ્યાતગુણ છે. સ્પર્શનેન્દ્રિયની અવગાહના કરતાં ચક્ષુઇન્દ્રિય પ્રદેશરૂપે અનંતગુણ છે—એટલે સ્પર્શનેન્દ્રિયની અવગાહના જેટલા આકાશ પ્રદેશોની હોય છે તે કરતાં તેના—ચક્ષુઇન્દ્રિયના પ્રદેશો અનન્તગુણા છે. તેથી શ્રોત્રેન્દ્રિય પ્રદેશરૂપે સંખ્યાતગુણ છે, તેથી ઘ્રાણેન્દ્રિય પ્રદેશરૂપે સંખ્યાતગુણ છે, તેથી જિક્વેન્દ્રિય પ્રદેશરૂપે અસંખ્યાતગુણ છે અને તેથી સ્પર્શનેન્દ્રિય પ્રદેશરૂપે સંખ્યાતગુણ છે. II૬૪૩૦ (ટી૦) હવે અલ્પબહુત્વ દ્વાર કહે છે—સૌથી થોડી ચક્ષુઇન્દ્રિય અવગાહનારૂપે છે. તાત્પર્ય એ છે કે ચક્ષુઇન્દ્રિયની અવગાહના સૌથી થોડા આકાશ પ્રદેશોની છે. તેથી શ્રોત્રેન્દ્રિય અવગાહનાર્થરૂપે સંખ્યાતગુણ છે, કારણ કે અતિ ઘણા પ્રદેશોમાં તેની અવગાહના હોય છે, તેથી પણ ઘ્રાણેન્દ્રિય અવગાહનારૂપે સંખ્યાતગુણ છે, કારણ કે અતિ ઘણા પ્રદેશોમાં તેની અવગાહના હોય છે, તેથી પણ જિહ્મેન્દ્રિય અવગાહનારૂપે અસંખ્યાતગુણ છે, કારણ કે તેનો વિસ્તાર અંગુલપૃથક્સ્ડ પ્રમાણ છે. કેટલાએક પુસ્તકોમાં ‘સંખ્યાતગુણ’ એવો જે પાઠ દેખાય છે તે અશુદ્ધ પાઠ છે, કેમ કે યુક્તિથી અસંગત છે. તે આ પ્રમાણે–ચક્ષુ આદિ ત્રણે ઇન્દ્રિયો પ્રત્યેક અંગુલના અસંખ્યાતમાભાગપ્રમાણ વિસ્તારવાળી છે અને જિન્દ્રિયનો અંગુલપૃથક્ક્સપ્રમાણ વિસ્તાર છે, માટે અસંખ્યાતગુણ જ ઘટે છે, પણ સંખ્યાતગુણ ઘટતું નથી, તેથી સ્પર્શેન્દ્રિય સંખ્યાતગુણ છે, તે આ પ્રમાણે–જિહ્મેન્દ્રિયનો વિસ્તાર અંશુલ પૃથક્ક્સપ્રમાણ છે અહીં બે થી માંડી નવ સુધીની સંખ્યાને પૃથક્ક્સ કહે છે, અને સ્પર્શનેન્દ્રિય તો શરીરપ્રમાણ છે, માટે તે અંગુલપૃથક્ક્સ પ્રમાણ મોટું હોય તો પણ સંખ્યાતગુણ જ ઘટે છે. ઘણા પુસ્તકોમાં ‘અસંખ્યાતગુણ’ એવો જે પાઠ દેખાય છે તે અશુદ્ધ છે, કારણ કે યુક્તિરહિત છે. તે આ પ્રમાણે–આત્માંગુલ-પૃથક્વપ્રમાણ જિહ્મેન્દ્રિય છે અને શરીરપ્રમાણ સ્પર્શનેન્દ્રિય હોય છે, શરીર વધારેમાં વધારે લાખ યોજન પ્રમાણ હોય છે તેથી તે અસંખ્યાતગુણ કેમ ઘટી શકે? આ ક્રમ વડે જ પ્રદેશાર્થરૂપે પણ સૂત્રનો વિચાર કરવો. અને ઉપર કહેલા પ્રકા૨વડે જ અવગાહનામાં અને પ્રદેશાર્થરૂપ એ ઉભય સૂત્રનો પણ વિચાર કરવો. ॥૬॥૪૩૦૦ सोतिंदियस्स णं भंते! केवइया कक्खडगरुयगुणा पन्नत्ता ? गोयमा ! अनंता कक्खडगरुयगुणा पन्नत्ता, एवं जाव फासिंदियस्स। सोतिंदियस्स णं भंते! केवइया मउयलहुयगुणा पन्नत्ता ? गोयमा ! अनंता मउयलहुयगुणा પન્નત્તા, વં નાવ ાન્નિલિયમ્સ IIસૂ॰-૭||૪૩।। (મૂળ) હે ભગવન્! શ્રોત્રન્દ્રિયના કર્કશ અને ગુરુ ગુણો કેટલા છે? હે ગૌતમ! કર્કશ અને ગુરુગુણો અનન્તા છે. એ પ્રમાણે યાવત્–સ્પર્શનેન્દ્રિય સુધી જાણવું. હે ભગવન્! શ્રોત્રેન્દ્રિયના મૃદુ અને લઘુ ગુણો કેટલા છે? હે ગૌતમ! મૃદુ અને લઘુગુણો અનન્તા છે. એ પ્રમાણે યાવત્–સ્પર્શનેન્દ્રિય સુધી જાણવું. I9II૪૩૧॥ एतेसिं णं भंते! सोइंदिय-चक्खिंदिय- घाणिंदिय-जिब्मिंदिय- फासिदियाणं कक्खडगरुयगुणाणं मउयलहुयगुणांण य कयरे कयरेहिंतो अप्पा वा बहुया वा तुल्ला वा विसेसाहिया ? गोयमा ! सव्वत्थोवा चक्खिंदियस्स 441

Loading...

Page Navigation
1 ... 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532 533 534 535 536 537 538 539 540 541 542 543 544 545 546 547 548 549 550 551 552 553 554