Book Title: Paumchariya
Author(s): Hemsagarsuri
Publisher: Vallabhsuri Smarak Nidhi Godiji Jain Derasar Mumbai

View full book text
Previous | Next

Page 469
________________ પઉમચરિય-પદ્મચરિત્ર ત્યાં રહેલા મુનિવરને કહ્યું કે, ‘ અતિશય તૃષા પામેલા મને પીવા માટે જળ આપેા. તમે સાધુએ તે સમગ્ર જગતના જીવા પ્રત્યે હિતબુદ્ધિવાળા છે અને તમે તે અધિક ધમપ્રિય છે.’ : ૪૩૪ : < ત્યારે તેમાંથી એક મુનિએ તેને આશ્વાસન આપતાં મધુર વચનથી કહ્યુ કે, હે ભાગ્યશાળી! અમૃત હોય તા પણ પાન ન કરાવી શકાય, તેા પછી તમને પાણીનું તે કેમ પાન કરાવાય? રાત્રે ભાજન કરવામાં માખી, કીડા, પતંગીયા, કેશ કે તેવા ખીજા અશુચિ પદાર્થોં ભેાજન સાથે ભક્ષણમાં આવી જાય, તેથી તેનું પણુ ભક્ષણુ કરેલું ગણાય. સૂર્યના અસ્ત થયા પછી અજ્ઞાનતાથી અગર મૂઢપણાના દોષથી જે કાઇ રાત્રે ભેાજન કરે છે, તે ચારેગતિવાળા વિસ્તૃત સ`સારમાં વારંવાર ભ્રમણ કર્યા કરે છે. ત્યાગીપણાને વેષ ધારણ કરનાર અગર વેષ ધારણ ન કરનાર ગૃહસ્થ રસનેન્દ્રિયમાં આસક્ત બની જે રાત્રે ભાજન કરે છે, તે અચારિત્રના દોષથી સદ્ગતિ મેળવી શકતા નથી. શીલ અને સંયમરહિત એવા જે પુરુષા કે સ્ત્રીએ રાત્રે ભોજન કરે છે, તેમ જ દિવસે પણ જેએ મધ, મદિરા, માંસ ખાવામાં રક્ત હાય, તેઓ મૃત્યુ પામીને મહાનરકમાં ઉત્પન્ન થાય છે. રાત્રિના સમયે ભાજન કરનાર મનુષ્યેા હલકા કુલમાં જન્મ પામે છે, વળી સ્ત્રી, ધન, સ્વજન આદિના વિયાગ પામે છે. પારકા ઘરે નાકરી-ચાકરી–સેવા કરનાર થવું પડે છે. જેઓ વિકાલ-સમયે ભાજન કરે છે, તેઓના હાથ-પગ ફાટી જાય છે, કેશ બરછટ ઉગે છે, દેખાવમાં બીભત્સ હોય છે, દુર્જંગ અને રિદ્ર થાય છે. જગલમાં ઘાસ અને લાકડાં કાપીને આજીવિકા ચલાવનાર થાય છે. પરન્તુ જેએ જિનેશ્વર ભગવન્તના ધર્માંને ગ્રહણ કરીને મધ, મદિરા, માંસની વિતિ ગ્રહણ કરે છે, તથા રાત્રે ભાજન ન કરવાની પ્રતિજ્ઞા સ્વીકારે છે, તેઓ દેવલાકમાં માટી ઋદ્ધિવાળા દેવા થાય છે. ત્યાં ઉત્તમ વિમાન વિષે. સેકડા દેવીઓના પરિવારથી યુક્ત દીર્ઘકાળ સુધી વિષયસેગનાં સુખા ભાગવે છે અને જેના પ્રભાવ અપ્સરાએ સ'ગીતપૂર્વક સભળાવે છે. ત્યાંથી ચ્યવેલા અને ઉત્તમ કીર્તિવાળા રાજવંશમાં ઉત્પન્ન થએલા અહીં વિષયસુખ ભાગવીને ફરી પણ દેવસમાન સુખા મેળવે છે. ફ્રી પણુ જિનવરધને વિષે સમ્યક્રન મેળવીને ગ્રહણ કરેલા વ્રત-નિયમવાળા વીરપુરુષા ઉદાર તપ કરીને સિદ્ધિપદને પ્રાપ્ત કરે છે. તમને ભૂખ લાગી હોય અને તે તમારાથી સહન થતી પણ ન હોય, ચાહે તે હાય, તે પણ રાત્રે ભાજન ન જ કરી શકાય અને સવ દુઃખનાં મૂળકારણરૂપ માંસ પણ વજવું જોઇએ. તે સાધુનું વચન સાંભળીને તે શ્રાવક થયા. ક્રમે કરી કાલ પામ્યા અને સૌધમ દેવલેાક વિષે શ્રીધર નામના દેવ થયા. તે દેવ હાર, કડાં, કુંડલ, મુકુટ વગેરે અલકારાથી અલંકૃત દેહવાળા ઇન્દ્રની જેમ દેવાંગનાઓ અને અપ્સરાઓ વચ્ચે રહીને ભાગા ભાગવવા લાગ્યા. ત્યાંથી ચ્યવીને મહાપુરમાં મેરુશ્રેણીની ધારિણી પત્નીથી જિનપદ્મરુચિ નામના શ્રાવકપુત્ર થયા. તે નગરના સ્વામી છત્રછાય નામના રાજા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520