Book Title: Paumchariya
Author(s): Hemsagarsuri
Publisher: Vallabhsuri Smarak Nidhi Godiji Jain Derasar Mumbai

View full book text
Previous | Next

Page 503
________________ : ૪૬૮ : પઉમચરિય-પદ્મચરિત્ર કરીને શત્રુદ્ધને એકદમ પૃથ્વીના પાલન કરવા માટે આજ્ઞા કરી કે, · હે વત્સ ! સમગ્ર નરાધિપા સહિત આ સમગ્ર રાજ્યને ભાગવ, હું તા હવે સંસારમાં જન્મ-મરણનાં દુઃખથી ભય પામ્યા છું, એટલે તપોવનમાં પ્રવેશ કરીશ.' ત્યારે શત્રુઘ્ને કહ્યું કે, ‘દુર્ગતિ કરનાર એવા રાજ્યથી મને સયું હે દેવ ! હવે તેા મને તમારા સિવાય બીજી કાઇ ગતિ નથી. આ લેાકમાં કામભેાગા કે અન્ધુવગ કે ધન કે અતિશય ખલ હોય, તે મરણુથી રક્ષણ કરતા નથી કે શરણભૂત થતા નથી, જેવા વિમલ ધમ સેવન કર્યાં હાય, અર્થાત્ માત્ર ધમ ભયથી રક્ષણ કરનાર અને શરણભૂત થાય છે.’ (૭૧) પદ્મચરિત વિષે - યાણમિત્ર દેવાનું આગમન ’ નામના એક્સેા તેરમા પના ગૂજ રાનુવાદ પૂર્ણુ થયા. [૧૧૩] [૧૪] બલદેવ રામનું નિષ્ક્રમણ પરલાકની સાધના કરવાના નિશ્ચયમનવાળા અર્થાત્ પ્રવ્રજ્યા અંગીકાર કરવાની અભિલાષાવાળા શત્રુશ્ર્વને જાણીને નજીકમાં રહેલા લવણના પુત્ર અનંગ તરફ દૃષ્ટિ કરી. ભાગે! તરફ વિરક્ત થએલા રામે પોતાના રાજ્ય પર તે ઉત્તમકુમારને સમગ્ર પૃથ્વીના અધિપતિ તરીકે સ્થાપન કર્યાં. આ બાજુ ખિભીષણ રાજાએ પણ સુભૂષણ નામના પુત્રને પેાતાના રાજ્યે સ્થાપન કર્યાં. સુગ્રીવે અંગદ પુત્રને પેાતાના દેશના સ્વામી સ્થાપ્યા. આજા પણ સુભટાએ, વિદ્યાધરાએ અને મનુષ્યાએ પાતાના પુત્રાને પાતાનું રાજ્ય આપીને રામની સાથે અત્યન્ત સવેગ પામ્યા. વૈરાગ્ય પામેલા રામે ત્યાં આવેલા અડદદાસ શેઠને ખાલ-વૃદ્ધ સહિત સંઘના અને શ્રાવકાના કુશલ સમાચાર પૂછ્યા. ત્યારે અદ્દાસે પ્રત્યુત્તર આપ્યા કે, હે સ્વામિ ! તમારા દુઃખે સવે લેાકેા દુઃખ પામ્યા છે અને વિશેષથી સઘ અધિક દુઃખ પામ્યા છે.' વળી શ્રાવકે કહ્યું કે, ‘હે સ્વામિ ! મુનિસુવ્રત સ્વામીના વંશમાં અત્યારે સુવ્રત નામના ચારણશ્રમણ છે, જે અહિં પધારેલા છે.' આ વચન સાંભળીને ઉત્પન્ન થએલા મહાભાવવાળા અને રામાંચિત દેહવાળા, અનેક સુભટાથી પરિવરેલા રામ તે મુનિવરની પાસે ગયા. એક હજાર મુનિવરના પરિવાર સહિત મહામુનિવરને દેખીને આદરમનવાળા રામે ત્રણ પ્રદક્ષિણા ફ્રીને પ્રણામ કર્યાં. વિદ્યાધરા અને મનુષ્યાએ ત્યાં ધ્વજ, તારણ આદિ આંધીને તેમ જ ઘણાં વાજિંત્રો વગડાવીને માટેા મહત્સવ કરાવ્યેા. રાત્રિ ત્યાં નિ`મન કરીને પ્રાતઃકાળે સૂર્યના ઉદય થયા, એટલે મહાભાગ્યશાળી રામે મુનિવરને વિનન્તિ કરી કે, ‘હે ભગવન્ત ! હું પ્રત્રજ્યા અંગીકાર કરવાની અભિલાષાવાળા થયા છું.' ગુરુએ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520