Book Title: Manovigyan
Author(s): Bhuvanratnasuri
Publisher: Dharmnath P H Jainnagar S M P Jain Sangh

View full book text
Previous | Next

Page 407
________________ ३७० મને વિજ્ઞાન કરી ગયા તેમ ભિન્ન ભિન્ન પ્રકારનાં દ્રવ્ય આદિ કારણરૂપ બને છે. જીવે પિતે અજ્ઞાનભાવથી કર્મો બાંધ્યાં હોય છે, એટલે તેના સારા કે નરસા વિપાક જીવને ભોગવવા પડે છે, તેમાં બાહ્ય સામગ્રી પણ હેતુરૂપ બને છે. કમ વિપાકને પરવશ બનેલું જગતું શુભના ઉદયકાળમાં બધા શુભ સંગ મળી આવે છે અરે અશુભના ઉદયકાળમાં બધા પ્રતિકૂળ સંગો ઊભા થાય છે. તેમાં જ્ઞાનદષ્ટિથી વિચારવામાં આવે તે હર્ષ, શોક ન થાય. ઉદયકાળને સમતાભાવે જોગવી લે તેમાં જ જીવની ખરી બહાદુરી છે. બંધકાળમાં જીવ શુરાતન દાખવે છે અને ઉદયકાળમાં ઢીલોઢફ થઈ જાય છે. એ જીવની કાયરતા છે. ઉદયકાળમાં શૂરાતન દાખવવાનું હોય છે અને બંધકાળમાં તો રખે નવા કર્મ ન બંધાઈ જાય તે માટે સાવધાની રાખવાની હોય છે. પૂ. ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજ જ્ઞાનસાર ગ્રંથમાં ફરમાવે છે કેदुखं प्राप्य न दीनः स्यात् सुख प्राप्य च विस्मितः । मुनिः कर्मविपाकस्य जानन् परवशं जगत् ॥ જગત આખું કર્મવિપાકને પરવશ બનેલું છે એમ જાણીને મુનિ–ભગવંતે દુઃખમાં દીન બનતા નથી અને સુખમાં વિસ્મય પામતા નથી. સુખ-દુઃખમાં સમભાવે રહેવું એ જ ખરી જીવનસાધના છે. સુખમાં ઉન્મત્ત બની જવું અને દુઃખમાં તદ્દન હતાશ બનવું એ તે નરી અજ્ઞાનતા છે. પોતે કરેલાં કર્મ ભેગવવાના સમયે દીનતા શા માટે ધારણ કરવી જોઈએ? જ્ઞાની તો એવા સમયે એમ વિચારે કે કર્મ આંધતી વખતે મેં વિચાર ન રાખ્યો તે આ વિપાક ભેગ

Loading...

Page Navigation
1 ... 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462