Book Title: Manovigyan
Author(s): Bhuvanratnasuri
Publisher: Dharmnath P H Jainnagar S M P Jain Sangh

View full book text
Previous | Next

Page 443
________________ ૧૯S મૂળ મૂડી અને વ્યાજ આ કાળમાં અઢીથી ત્રણ વર્ષના ગાળામાં જે મહાનગી પુરૂ થયા તેમાં પૂ. આનંદઘનજી પણ મહાન યોગી પુરૂષ થઈ ગયા. પૂ. આનંદઘનજી મહાન અધ્યાત્મ ચાગી. હતા અધ્યાત્મના વિષયમાં તેઓ ખૂબ ઉંડા ઉતરેલા હતા. તેમણે ચોવીશી રચી છે જેમાં ચોવીસ તીર્થકર ભગવંતના સ્તવને રચેલ છે. ચોવીશીમાં તેમણે અધ્યાત્મિક જ્ઞાનના જાણે રસ ઝરણાં વહેવડાવ્યા છે. તેમણે રચેલી ચોવીસીના સ્તવને. કંઠસ્થ કરી પરમાત્માની સામે ચૈત્યવંદન વિધિમાં બોલવામાં આવે તે અનેરા ભાવે પ્રગટે તેવા એ સ્તવને છે. પૂ. આનંદ ઘનજીએ ચોવીસીની જેમ પદ બહરીની પણ રચના કરી છે તેમણે રચેલા પ્રત્યેક પદો આત્મજ્ઞાનના નિચોડ રૂપે છે. તેમણે ચેલા પદ સુમધુર કંઠે ગાવામાં આવે તે અનુપમ એવા આત્મિક આનંદનો સ્વાનુભવ થઈ શકે તેવું છે. પદ બહોરીને પ૪ માં પદમાં તેઓશ્રી ફરમાવે છે કે.. મૂલડે થે ભાઈ વ્યાજડે ઘણે રે. કેમ કરી દીધું રે જાય? તલપદ પૂંજી મેં આપી સઘલી રે, તેહ વ્યાજ પૂરું નહિ થાય. મૂલડા...

Loading...

Page Navigation
1 ... 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462